Suffering from Skin Problem; Follow these simple Ayurveda tips during this spring

ચામડી ના રોગો માટે અપનાવો એટલા સરળ આયુર્વેદિક ઉપાયો

ચામડીનાં રોગીની વાસંતિક ચર્યા જોઈએ તો તેમાં અલૂણાનું ખાસ મહત્વ છે. તેથી ચૈત્ર મહિનામાં નમક લેવાનો અને લીમડાનાં કૂમળા ફૂલ અને પાન તેમજ છાલનો ઉકાળો પીવાનો રિવાજ છે. રીતે ચામડીનાં દર્દીએ વસંત શરૂ થતાં ખોરાકમાં નમક લેવું. સાથે નહાવા માટે કેસુડાંનાં ફૂલ અને લીમડાનાં પાનથી ઉકાળેલા પાણીનો ઉપયોગ કરવો. લીંબોડીનાં તેલથી શરીરે માલીશ કરવી પરંતુ જો ચામડીમાંથી પચપચા પાણી જેવો સ્ત્રાવ થતો હોય તો તેને સૂકી રાખવી અને જો વધુ સૂકી થઈને પોપડીઓ ખરતી હોય તો તેલ માલીશ કરવી.

લીમડાનાં કૂમળા પાનનો રસ પી ઊલટી કરવી. હરડે, નસોતર, કડું, કરિયાતુ વગેરેનો વૈદ્ય સલાહ અનુસાર એવો અને એટલા પ્રમાણમાં પ્રયોગ કરવો કે સવારમાં વખત સારી રીતે પેટ સાફ થાય. નાગરમોથ, ધાણા વગેરેથી ઉપર બતાવેલી રીતે સિદ્ધ જલનો પ્રયોગ કરવો. ચામડીનાં રોગીઓમાં માનસિક ચિંતા અને વ્યગ્રતા, ભય વગેરેનું પ્રમાણ પણ જોવા મળે છે. જેનાથી રોગ વધી જાય છે. આથી મનને પ્રફુલ્લિત રાખવું અને ઊંડા શ્વાસપ્રશ્વાસની ક્રિયા (ડીપ બ્રિધિંગ એન્ડ બ્રિથ વોચિંગ) વગેરે ઉપાયો કરી મનને વ્યગ્રતાની લાગણીઓ અને આવેશથી મુક્ત રાખવું.

આમ ઉપરની ઋતુચર્યા માત્ર કફ વધવાથી થતાં ચામડીનાં રોગીઓ જો અનૂસરે તો તેમનાં શરીરમાં કફનું સમપ્રમાણ થાય છે અને આખું વર્ષ સ્વસ્થ રીતે પસાર થાય છે પરંતુ ઉપરનું અનુસરણ કરતાં પહેલા રોગની અને રોગીની પ્રકૃતિ અને બળ ખાસ જાણી લેવાં અને તે મુજબ ઘટતાં ફેરફાર કરવા જોઈએ.

Read More

Suffering from Asthma: Follow these simple Ayurveda tips during this spring

શ્વાસ ના રોગ ને કાબૂ માં લેવા અપનાવો આ સરળ આયુર્વેદિક ઉપાય

શ્વાસનાં રોગીએ ઋતુમાં જો એક ખાસ પ્રકારનાં આહારવિહારનું પાલન કરે તો તેમનાં રોગ માટે જવાબદાર કફદોષનું પ્રમાણ શરીરમાંથી ઘટે છે. તેમને આહારમાં માત્ર મગનું શાક કે દાળ અને ઓસવેલા ગરમ તાજા ભાત, શેકેલા ઘઉંની થુલી, ચોખાની કણકી, આદુ, સરગવો, લસણ, અજમો, તુલસી વગેરેનું સેવન કરવું. સાથે ઠંડું, વાસી, ઝીણાં લોટની બનાવટ (રોટલી, ખાખરા, પરોઠા), દૂધ, દૂધની મીઠાઈ, દહીં, કેળા, મેંદો, તલ, અડદ, આથાવાળા વગેરે પદાર્થો લેવાં.

સવારમાં વહેલા હળવો વ્યાયામ, ચાલવું, વધુ શ્રમ પડે તેવાં અનુલોમવિલોમ જેવા સરળ પ્રાણાયમ વગેરે કરવા. એમાંથી પણ શ્વાસનાં રોગીએ ખાસ વસંત શરૂ થતાં છાતીમાં જામેલો કફ છૂટો પાડવા તલનાં તેલમાં સૈધવનમક નાખીને ગરમ કરી છાતી અને પડખામાં માલીશ કરવી તેમજ તેની ઉપર હ્યદય સિવાયનાં ભાગમાં સેક કરવો. ક્રિયા સરળ છતાં એટલી અસરકારક છે કે તેનાથી સ્વાસ માટે લેવામાં આવતાં પંપ પણ ધીમે ધીમે ઓછા થાય છે.

ઋતુમાં અઠવાડિયામાં એકવાર નમકનાં ગરમ પાણીથી ઉલટી કરવાથી વધારાનો કફ બહાર નીકળે છે. ઉપરાંત દરરોજ નાકમાં તલનાં તેલને ગરમ કરી નવસેકા ટીપાં નાખવા. શ્વાસનાં રોગી જો રાતનું ભોજન લે અને માત્ર સવારે અને બપોરે ઉપર સૂચવેલો આહાર લે તો તેને રાત્રે આવતાં હુમલાથી રક્ષણ મળે છે.

સુંઠ એક ભાગ અને પાણી સોળ ભાગ લઈ ઉકાળીને અડધો ભાગ પાણી બાળી આખો દિવસ સિદ્ધ જલ નો પ્રયોગ કરવો. ધૂળ, ધૂમાડા, રજકણો, ઠંડીથી સતત બચવું. સવારે અને સાંજે ભૂખ્યા અને હળવું પેટ હોય ત્યારે હળવી કસરત, ચાલવું અને હળવી શ્વાસોચ્છવાસની કસરત, અનુલોમવિલોમ પ્રાણાયમ કરવા. કબજીયાત થવા દેવી અને જેમને કાયમ કબજીયાત અને પેટમાં વાયુની ફરિયાદ રહેતી હોય તેમને હરડે, સુંઠ, હિંગ, કડુ વગેરેનો વૈધની સલાહ મુજબ પ્રયોગ કરવો કેમકે શ્વાસનો રોગ પાચનની નબળાઈ, ગેસ અને કબજીયાતથી વધી જાય છે.

Read More

શું આપ ઋતુ બદલે ત્યારે બીમાર પડી જાઓ છો? અપનાવો આ સરળ જીવન શૈલી

શું આપ ઋતુ બદલે ત્યારે બીમાર પડી જાઓ છો? અપનાવો આ સરળ જીવન શૈલી

ભારતમાં વર્ષ દરમિયાન અનુભવાતી પ્રત્યેક ઋતુમાં સૂર્યપ્રકાશ, ઠંડી, ગરમી, હવા, ભેજ, દિવસ-રાતની લંબાઈ વગેરેનું પ્રમાણ જુદું જુદું જોવા મળે છે. આ પ્રમાણે પ્રત્યેક ઋતુની અલગ-અલગ અસર માનવશરીર પર પડે છે. હવે જો પ્રત્યેક ઋતુમાં આપણું વર્તન એવું હોય કે જે શરીરમાં થતાં આ ઋતુજન્ય પરિવર્તન દરમિયાન તેને બહારનાં વાતાવરણ સાથે પોતાનું સામંજસ્ય સ્થાપિત કરવામાં મદદરૂપ થાય તો ઋતુજન્ય ફેરફારોથી સ્વાસ્થ્યની રક્ષા કરી શકાય. આયુર્વેદનાં મહર્ષિઓએ પ્રકૃતિના પરિવર્તનો તથા તેની શરીર પર થતી અસરનાં અત્યંત સૂક્ષ્મ અભ્યાસ દ્વારા એક સંપૂર્ણ વૈજ્ઞાનિક વ્યવહારશૈલીનું નિર્માણ કર્યું જેને ઋતુચર્યા કહેવાય છે.

આમ ઋતુચર્યા એટલે ઋતુપરિવર્તન અનુસાર દૈનિક વ્યવહાર, ખાન પણ વગેરેમાં આગવું સ્વસ્થ્યદાયક પરિવર્તન. ઉપરાંત પ્રત્યેક ઋતુ અનુસાર શરીરનાં વાયુ, પિત્ત અને કફ દોષોનાં પ્રમાણમાં વધ-ઘટ થાય છે અને તેને લીધે અમુક ઋતુમાં અમુક રોગો વધેલા કે ઘટેલા જોવા મળે છે. જેમ કે શિયાળામાં લોકો દ્વારા વધુ પ્રમાણમાં પૌષ્ટિક અને ચીકણા, ભારે ખાદ્યપદાર્થો જેવા કે અડદીયા, શેરડી, ગોળ, તલ વિવિધ પાક વગેરેનું સેવન થતાં તેમનાં શરીરમાં કફદોષનું પ્રમાણે વધે છે. આથી આ ઋતુ અને તેનાં પછી આવતી વસંતઋતુમાં કફને કારણે થતાં શ્વાસ અને ચામડીનાં રોગો વધુ પ્રમાણમાં જોવા મળે છે.

વસંત પંચમી નાં તહેવાર સમયે વસંત ઋતુ ની શરુઆત થાય છે. તેની સવાર શિયાળાની ગુલાબી ઠંડી જેવી અને બપોર ઉનાળાનાં આકરા તાપ જેવી હોય છે. આ ઋતુસંધિ એટલે કે શિયાળા અને ઉનાળાને જોડતી વસંત ઠંડી અને ગરમીનું એવું મિશ્રણ સર્જે છે કે તેનાથી શરીરમાં શિયાળા દરમિયાન જમા થયેલો કફ દ્રવીભૂત થઈ પીગળે છે. સાથે સાથે ઠંડી પણ હોવાથી આ કફ પૂરે પૂરો શોષાઈ જતો નથી પણ પોતાના દ્રવ સ્વરૂપથી આખાય શરીરમાં જુદા જુદા રોગો કરે છે.

આમ વસંતએ કફદોષનાં દ્રવત્વગુણને લીધે શરીરમાં પાચનશક્તિ નબળી બનાવી એટલે કે અગ્નિ મંદ કરે છે તેથી મરડો, ભૂખ ન લાગવી, ગળા અને છાતીમાં કફ ભરેલો લાગવો, આળસ, શ્વાસ, શરદી, શીળસ, ચામડીની એલર્જી, માથું ભારે થવું વગેરે કફને લગતાં લક્ષણો જોવા મળે છે. પરંતુ સાથે સાથે આ ઋતુનું જમા પાસું એ છે કે જો તેમાં આયુર્વેદીય સરળ ઉપાયોનો આશરો લઇ દ્રવીભૂત કફને કાઢી નાખવામાં આવે તો આવનાર આખા વર્ષમાં કફનાં રોગોમાં રાહત રહે છે. ખાસ કરીને ચામડી અને શ્વાસનાં દર્દીઓ જો થોડી સાવચેતીથી આયુર્વેદીય વસંતઋતુચર્યા પાળે તો તેમનાં માટે આવનારો શિયાળો હર વખતની જેમ ભયાવહ રહેતો નથી.

આયુર્વેદ મત પ્રમાણે આ ઋતુમાં દ્રવીભૂત કફને બહાર કાઢવા માટે વમન કર્મ, નસ્યકર્મ કરાવવામાં આવે છે; જે માત્ર અનુભવી વૈધની સંપૂર્ણ દેખરેખ નીચે જ કરવા જોઈએ. પરંતુ આ માટે કેટલાક સરળ ઉપાયો પણ આપેલા છે જે દરેક વ્યક્તિ વૈધની સલાહ મુજબ અને પોતાની તાસિર મુજબ ઘરમેળે કરી શકે છે. આ ઋતુમાં દરેકે સરસીયા તેલની માલીશ કરી સવારે ખૂબ જ વ્યાયામ કરવો, બપોરે સૂવું નહીં, ખોરાકમાં લૂખા, હલકા અને સામાન્ય ગરમ દ્રવ્યો લેવા. માત્ર ગરમ પાણી અથવા સૂંઠ, નાગરમોથ, ગંઠોળા વગેરે તાસિર મુજબ યોગ્ય પ્રમાણમાં નાખી ગરમ કરીને પીવું. નાહવામાં કેસૂડાંનાં ફૂલ નાખી ગરમ કરેલું પાણી વાપરવું.

આથી જ હોળી માં મકાઈની ધાણી, બાફેલા કઠોળ જેવા લુખ્ખા પદાર્થો ખાવાનો અને ગાયનાં અડાયા છાણાથી બનેલી હોળીને ફરતે રહી શેક લેવાનો રિવાજ છે. તેનાથી કફ દોષનું શરીરમાં પ્રમાણ ઘટે છે. ઉપરાંત કેસૂડાંના ફૂલવાળા પાણીથી રમાતી હોળી ચામડીને સુંવાળી બનાવી કફને લીધે થતી એલર્જીથી રક્ષણ આપે છે. આમ તહેવાર સાથે પણ સ્વાસ્થ્ય સંરક્ષણને જોડવામાં આવ્યું છે.

Read More

Just doing Shirodhara with fashion find out true Ayurvedic realities

Just doing Shirodhara with fashion find out true Ayurvedic realities

ફેશન થી કરાવો છો શિરોધારા પણ જાણો તેની સાચી આયુર્વેદીય વાસ્તવિકતાઓ

શિરોધારા નું નામ સાંભળતાં જ મોટા ભાગનાં લોકોનાં મનમાં કેરાલા ટુરીઝમ અને પંચકર્મ થેરાપી જેવાં શબ્દો  ઉપસી આવે છે. ઘણાં લોકો તો શિરોધારા ને જ પંચકર્મ માની બેઠેલાં હોય છે. પણ સાચી વાસ્તવિકતા તો એ છે કે શિરોધારા એ પંચકર્મ છે જ નહીં બલ્કિ દક્ષિણ ભારત માં પ્રચલિત માથાની માલીશ ની એક પદ્ધતિ છે. Shirodhara is an Ayurvedic Treatment. Here is everything you need to know about Shirodhara.

 

શું છે આ શિરોધારા?

What is Shirodhara Treatment?

કપાળના ભાગ માં ઔષધિ સિદ્ધ નવસેકા પ્રવાહી ની ધારા કરવી તેને શિરોધારા કહેવામાં આવે છે, તેની સંપૂર્ણ સાચી વિધિ “ધરાકલ્પ” નામનાં ગ્રંથમાં આયુર્વેદનાં મહર્ષિઓએ વર્ણવેલ છે અને તે મુજબ કરેલી શિરોધારા ખુબ જ સારાં પરિણામ આપે છે.

 

શિરોધારા કઈ રીતે કરવામાં આવે છે?

How Shirodhara is done? Shirodhara Procedure

શિરોધારા માટે ઔષધિઓનો ઉકાળો, ઔષધિયુક્ત છાશ કે દૂધ, વિવિધ જાતનાં ઔષધીય તેલનો ઉપયોગ કરવામાં આવે છે. કઈ ઔષધથી શિરોધારા કરવી એ રોગીની તાસીર અને રોગ નાં આધારે નિષ્ણાત વૈદ્ય નક્કી કરે છે. જ્યારે આજકાલ તો બ્યુટી પાર્લરમાં પણ પાણી કે કોઈ પણ તેલ થી શિરોધારા કરવામાં આવે છે, જે માથામાં તેલ રેડીને મન ને સંતોષ આપવા સિવાય બીજો કોઈ ફાયદો કરતી નથી.

 

શિરોધારાથી થતાં લાભ:

Benifits Of Shirodhara:

શિરોધારા જો રોગીના રોગ અને તેની પ્રકૃતિ તેમજ ઋતુ અનુસાર ઔષધીય તેલ-દૂધ-છાશ કે ઉકાળા ને નવસેકું ગરમ કે ઠંડું કરી કરવામાં આવે તો ઉતમ લાભ થતો જોવાં મળે છે.

  • મન ખુબ જ શાંત થાય છે
  • વિચારવાયુ દૂર થાય છે
  • એન્ઝાઈટી, ડીપ્રેશન જેવાં માનસિક રોગોમાં ફાયદો થાય છે
  • વાળ ખરાવા, ખોળો વગેરે જેવી સમસ્યાઓમાં રાહત થાય છે Shirodhra is very beneficial for various hair problems like Hair Loss, Premature Greying of hair etc
  • માથાનાં દુઃખાવા, માયગ્રેન વગેરેમાં લાભ થાય છે
  • અનિદ્રા દૂર થઈ ખુબ જ ગાઢ ઊંઘ આવે છે.
  • ટેન્શનલ હેડેક, હાય બ્લડપ્રેશર વગેરે માં રાહત અનુભવાય છે.

 

 

સારાંશ:

આજનાં ભાગ દોડ અને માનસિક તણાવથી ભરેલાં જીવન માં વૈદ્ય ની દેખરેખ નીચે કરાવેલ શિરોધારા જાણે મનની શાંતિ તરફ લઇ જતો આયુર્વેદીય રસ્તો છે. સાથે અનિદ્રા, માનસિક રોગો, વાળની સમસ્યાઓ, માથાનાં દુઃખાવા વગેરેની નિર્દોષ ચિકિત્સા છે.

Read More

Glowing skin to stronger bones Ayurvedic therapeutic massage has many benefits

અભ્યંગ એ આયુર્વેદીય મસાજ ની પદ્ધતિ છે સામાન્ય ઘરગથ્થું માલીશ થી લઇ ને ચોપાટી મસાજ વગેરે અનેક અહીં જોવાં મળે છે. પરંતુ આયુર્વેદીય થેરાપેટિક મસાજ એટલે કે “અભ્યંગમ” એ હજારો વર્ષોથી આયુર્વેદ ચિકિત્સાનો એક ભાગ છે. આયુર્વેદીય શુદ્ધિકરણ પ્રક્રિયા “પંચકર્મ શોધન” એ અભ્યંગ વગર શક્ય નથી.

 

અભ્યંગ નો થેરાપી કોર્સ વ્યક્તિને અનેક રીતે લાભદાયી છે અને શરીર તથા મન ને થાક અને તણાવ થી મુક્ત કરનારી રીફ્રેશમેંટ થેરાપી પ્રસીજર છે.

 

અભ્યંગ એટલે શું?

અભ્યંગ એ આયુર્વેદીય મસાજ થેરાપી છે જેમાં એક વ્યક્તિની પ્રકૃતિ અને રોગ ને ધ્યાનમાં રાખીને ઔષધીય તેલ કે ઘી થી આખા શરીરમાં એક વિશેષ વિધિ થી માલીશ કરવામાં આવે છે.

 

અભ્યંગ થી થતાં લાભ:

શરીર બળ વધે; बलप्रद, क्लेश व्यायाम संसहा

અંગો દ્રઢ થાય, બળ અને સહન શક્તિ માં વધારો થાય. આથી વધારે પડતો શારીરિક શ્રમ, વ્યાયામ, ભાર ઉચકાવો વગેરે કરવાની ક્ષમતા વધે.

 

સ્નાયુ, માંસ અને અંગોને પોષણ મળે उपचित अङ्गाः,धानुनां पुष्तिजननो,

આથી શરીર માંસલ, ભરાવદાર અને સુડોળ બને છે અને તેનો દેખાવ ખુબ જ સુંદર થાય છે.

જિમ અને યોગ કરવાવાળા માટે માલીશ ખાસ જરૂરી છે. તેઓ બલા તેલનો ઉપયોગ કરે.

 

ત્વચા સુંદર બને સુત્વક સુસ્પર્શ मृजा प्रद वर्ण प्रद

તેલ માલીશ ત્વચાની રુક્ષતા ને દૂર કરે છે અને સ્વેદ ગ્રંથીઓ ને સ્વચ્છ કરી તેની કુદરતી સફાઈ કરે છે. આથી ત્વચા કરચલીઓ વગરની, મુલાયમ, કોમળ, સ્નિગ્ધ, ડાઘા વગરની અને  કસાયેલી બને છે.

સ્ત્રીઓએ શરીરની સુંદરતા વધારવા અને જાળવી રાખવા માલીશ કરવી. આ માટે ચંદનબલા લાક્ષા દી તેલ ખુબ ઉપયોગી છે.

 

શરીર ને લાચિલું બનાવે (मार्दवकरः

તેલ અભ્યંગ શરીરની માંસપેશીઓની સ્થિતિ સ્થાપકતા વધારે છે તેથી શરીર વધારે લાચિલું અને ફ્લેક્સીબલ બને છે. ખાસ કરીને સ્પોર્ટ્સ પરસન ને નિયમિત તેલ માલિશ કરવી જોઈએ. જેથી શરીર ને કોઈ પણ હદ સુધી સરળતાથી વાળી શકાય. તેના માટે — તેલ ઉપયોગી છે.

 

प्रशान्त मारुत बाधं, कफ़ वात निरोधनः

નિયમિત માલીશ શરીરમાં કફ અને વાત દોષ સંબંધી રોગોને દૂર કરે છે.

 

भग्न संधि प्रसादकः

તલનાં તેલમાં સ્નાયુ, સાંધા અને હાડકાને પોષણ આપવાનો ગુણ છે આથી અકસ્માત થી ફ્રેક્ચર થયેલાં માટે એક ખાસ પદ્ધતિ થી કરેલો તેલ પરીષેક હાડકાં ને સાંધવામાં ઉપયોગી છે. આ માટે કેરલમાં એક ખાસ ૨૦૦ બેડ ની આયુર્વેદિક ઓર્થોપેડિક હોસ્પિટલ છે જ્યાં હાડકાના ફ્રેક્ચર માટે ખાસ આયુર્વેદીય તેલ (મુરીવેન્ના) થી માલીશ અને પરીષેક કરાય છે. પરંતુ આ કાર્ય વૈદ્યની દેખરેખ માં જ કરવું.

 

થાક ને દૂર કરી શરીરને તરોતાજા કરે (श्रम वातहा)

આયુર્વેદીય અભ્યંગ શરીરને ડીપ રેલેક્સેશન આપે છે. દરેક સ્નાયુ અને અંગોમાં લાગેલાં થાક અને તણાવ ને હળવો બનાવે છે. આથી જ તો આયુર્વેદીય માલીશ નું એક સેશન શરીરમાં નવું ચેતન પ્રસરાવે છે.

 

આંખોના તેજ ને વધારે (द्रष्टि प्रसादः)

પગનાં તળિયામાં આયુર્વેદીય અભ્યંગ કાંસાની કટોરી થી કરવામાં આવે છે, તેનાથી આંખોને પોષણ મળે છે. આ માટે ત્રિફલા ઘૃત નો ઉપયોગ કરવામાં આવે છે.

 

અનિદ્રાના રોગોમાં ઊંઘ લઇ આવે છે (स्वप्न)

અભ્યંગ શરીર અને મન નાં થાક અને તણાવ ને દૂર કરે છે અને ગાઢ ઊંઘ લઇ આવે છે. અનિદ્રાના રોગીઓમાં આ ખાસ ઉપયોગી ચિકિત્સા પદ્ધતિ છે.

 

આયુર્વેદનાં દરેક ઋષિમુનીઓ એકી સાદે સલાહ આપે છે કે દરેક વ્યક્તિએ રોજ સવારે સ્નાન કરતાં પૂર્વે માલીશ જરૂર કરવી જોઈએ. માલીશાને પોતાની દિનચર્યાનું અંગ બનાવવાથી શરીરમાં અનેક લાભ થાય છે.

Read More

From Heart Diseases to Digestive Problems; find out benefits of Honey

From Heart Diseases to Digestive Problems; find out benefits of Honey

હૃદય થી લઈને પાચન શક્તિના સુધાર સુધી ;

જાણો કઈ રીતે કરે છે મધ શરીરમાં અસર?

 

આયુર્વેદનાં મહર્ષિઓને ઔષધના ગુણ-કર્મ અને તેનાં શરીર પરના કાર્યકારી તત્ત્વ નું ગહન જ્ઞાન હતું, જેની પ્રતીતિ તેમનાં દ્વારા લખાયેલી પ્રત્યેક સંહિતાઓ જોતાં સહેજે થઇ જાય છે. સંહિતાઓ નાં તલસ્પર્શી અભ્યાસ થી  મધની શરીર પર થતી નીચેની અસરો સમજી શકાય છે.

રુક્ષણ; ચીકાશ ને શોષે

જુનું મધ શરીરને સૂકું કરી તેની ચીકાશને શોષી લે છે. આથી કફ નાં રોગોમાં મધ શ્રેષ્ઠ ઔષધ છે. કાયમ કફની સમસ્યા રહતી હોય તેને મધ લેવાથી ફાયદો થાય છે.

જુઓ હળદર+મધ

 

અગ્નિ દીપન; ભૂખ લગાડે

અલ્પ માત્રામાં જુનું મધ પાચક રસનો બળ આપી, પાચનશક્તિ ને ખુબજ સુધારે છે અને ભૂખ લગાડવામાં મદદ કરે છે. આથી યોગ્ય પાચક ઔષધ સાથે મધ લેવું બહુ ફાયદાકારક છે.

જુઓ આદુરસ+મધ પ્રયોગ

 

સ્વર્યમ; કોકિલ કંઠ કરનાર

મધ ગળામાં રહેલી સ્વરપેટી નાં સ્નાયુઓને પોષણ આપે છે અને ગળામાં ચોટતા કફને દૂર કરતુ હોવાથી સ્વરને સુધારવામાં ખુબ જ સારું છે. ગાયકો અને વક્તાઓએ મધનું સેવન નિત્ય કરવું જોઈએ.

જુઓ જેઠીમધ+મધ પ્રયોગ

 

વર્ણ્ય; કુદરતી કોસ્મેતિક

મધ માં ત્વચા અને રક્ત ધાતુને શુદ્ધ કરવાનો ગુણ છે. તેથી મધ નો પ્રયોગ લગાવવામાં કે ખાવામાં કરવાથી ત્વચાનો વાન ખુબ જ ખીલે છે.

જુઓ મધ+લોધ્ર નો પ્રયોગ

 

સુકુમાર; લાવણ્ય વર્ધક

મધ શરીરની ધાતુઓમાં કોમળતા ઉત્પન્ન કરે છે તેથી મધનું નિયમિત સેવન શરીરને સુકુમારતા યુક્ત લાવણ્ય પ્રદાન કરે છે.

જુઓ મધ+ગળો નો પ્રયોગ

 

લેખન; પાતળું કરનાર

જુનું મધ શરીરની વધારાની ચરબીને દૂર કરી શરીરને પાતળું કરે છે.

જુઓ મધૂદક નો પ્રયોગ

 

હૃદયમ; cardiac tonic

મધ એ  cardiac tonic છે. તેનાથી હૃદયને શક્તિ મળે છે અને તેની કાર્યક્ષમતામાં વધારો થાય છે. હૃદયરોગ ના દર્દીઓ માટે મધ આશીર્વાદરૂપ છે.

જુઓ સિતોપલાદી+મધ

 

વાજીકરણ; અંગત જીવન માં સંતોષ નો અનુભવ

મધ શરીરના જાતીય અંગોની કાર્યક્ષમતા સુધારે છે. આથી જાતીય ખામીને દૂર કરી પૌરુષેય શક્તિને વધારે છે.

મધ+જાયફળ, લવીંગ પાનબીડું

 

સન્ધાન્મ; રમતવીરો માટે વરદાન રૂપ

મધ શરીરની માંસપેશીઓ અને હાડકા ને પુષ્ટ કરે છે. તેથી હાકડા કે માંસપેશીની ઇજાઓમાં મધ નાં સેવન થી ઝડપથી જોડાણ થાય છે. રમતવીરોએ નિયમિત મધ લેવું જોઈએ.

જુઓ મધ+દૂધ નો પ્રયોગ

 

સંગ્રાહી; મળ ને બાંધે

જુના મધ માં મળ ને બાંધવાનો ગુણ છે. તેથી મરડો અને ઝાડામાં મળને રોકી રાહત આપે છે.

સુંઠ+મધ

 

ચક્ષુષ્ય; આંખના રોગોમાં સંપૂર્ણ ઔષધ

આંખની તેજસ્વિતા વધારવા તેમ જ આંખના રોગો માટે મધ અમૃત સમાન ઉપયોગી છે. તેનાથી અનેક આંખના રોગો દૂર થાય છે.

આંખમાં આંજવું. મધ+આમળા નો પ્રયોગ

 

પ્રસાદન; કુદરતી સૌંદર્ય

મધ શીત ગુણ વાળું હોવાથી પિત્ત દોષ ને ઘટાડે છે અને શરીરની ચામડી પર થતી તડકાની અસરને ઓછી કરી વર્ણ ને ખુબ સુંદર બનાવે છે.

આમલા+મધ

 

સૂક્ષ્મ માર્ગાનુસારી; દવા નાં પ્રભાવ ને વધારનાર

મધ એ ઔષધ ને શરીરનાં નાના માં નાના માર્ગો, ધમનીઓ અને સીરાઓ સુધી પહોચાડે છે. તેથી જ તો હૃદયની નળીઓ ની બ્લોકેજ ને દૂર કરવાં માટેનાં દરેક ઔષધો મધ સાથે આપવાનો રીવાજ છે.

અપના હૃદયને આપો આયુર્વેદ નો સાથ– trimarmiyaa concept

 

મેધાકાર; brain tonic

મધ મગજનાં જ્ઞાનતંતુઓને પોષણ આપી બુદ્ધિ ક્ષમતામાં વધારો કરે છે.

શંખપુષ્પી+મધ

 

સારાંશ: મધ ચમત્કારિક ઔષધીય ગુણોથી ભરપૂર છે અને લગભગ શરીરનાં દરેક અંગોને સ્વસ્થ રાખવામાં ઉપયોગી રસાયન છે.

Read More