શું આપ દાંત અને પેઢાની પીડા કે વ્યસનને કારણે થયેલાં મોઢાના રોગોથી પરેશાન છો? તો અપનાવો આ ડિટોક્ષ પ્રક્રિયાઓ

દાંત, પેઢા અને મોઢાની મુખ્ય સમસ્યાનાં કારણો:

  • વિદેશી ટૂથપેસ્ટ; આ પ્રકારના ટૂથપેસ્ટ દાંતની કોઈ રીતે સુરક્ષા કરતાં નથી ઉપરથી  તેના હાનીકારક કેમિકલથી પેઢા અને દાંતને નુકસાન થાય છે.
  • વ્યસન જેવા કે ચા, કોફી, તમાકું, ગુટકા, બીડી, દારૂ વગેરે; તેનાથી કેન્સર, મોઢાના ચાંદા, મોઢું પૂરું ના ખુલવું  અને બીજી અનેક શારીરિક તેમજ માનસિક બીમારી થાય છે.
  • મસાલેદાર પદાર્થો અને ફાસ્ટ ફૂડ; અવાળું ફુલાવું, દાંત પીડા પડવા, પેઢા સડવા
  • આર્ટીફીસીયલ સ્વીટનર; મોટેભાગે પેક્ડ ફૂડ અને સોફ્ટ ડ્રીંકમાં હોય છે, ખાસ નાના બાળકો અને યુવાનોમાં દાંતના રોગો માટે આ ખુબ જ જવાબદાર છે. 

 

દાંત, પેઢા અને મોઢાની આ સમસ્યાઓ માટે આયુર્વેદમાં તમે નીચેની સારવાર અપનાવી શકો છો:

૧. દૈનિક પ્રયોગો, જેવાં કે દાતણ. મંજન, કવલ ગ્રહ, મુખવાસ

૨. સાપ્તાહિક ઓરલ ડીટોક્ષ થેરાપી; શોધન ગંડુશ, સ્નેહ ગંડુશ, શમન ગંડુશ

 

ગંડુશ; સાપ્તાહિક ઓરલ ડીટોક્ષ થેરાપી:

આ થેરાપી માં રોગ અને રોગીની પ્રકૃતિ અનુસાર કોઈ પણ ડીટોક્ષ પ્રવાહીથી મોઢાને અમુક નિશ્ચિત સમય સુધી પૂરે પૂરું ભરી રાખવાનું હોય છે. 

 

કેટલા સમય સુધી  ભરી રાખવું?

જ્યારે નાક અને આંખમાં પાણી આવવા લાગે અને ગળા માંથી કફ છુટો પડતો અનુભવાય ત્યાં સુધી આ પ્રવાહી મોઢામાં ભરી રાખવું. આ પ્રક્રિયા ને ગંડુશ કહે છે. 

 

કઈ રીતે અસર કરશે?

જેનાથી મોઢા અને દાંતની સંપૂર્ણ શુદ્ધિ થઇ રોગ મટે છે.

 

વ્યસ્ત જીવન શૈલીમાં આપ વિકેન્ડ માં આ ખાસ પ્રયોગો અજમાવી ઓરલ હેલ્થ ને જાળવી શકો છો. આ પ્રક્રિયા ૩ સ્ટેપમાં કરવામાં આવે છે:

 

પહેલાં શોધન ગંડુશ——- પછી સ્નેહ ગંડુશ—– અંતમાં શમન ગંડુશ

 

શોધન ગંડુશ :

  • તેમાં ડીટોક્ષ પ્રવાહી તરીકે ઔષધીના ઉકાળા, ગૌમુત્ર, ક્ષાર જલ વગેરે વૈદ્યની સલાહ અનુસાર વાપરી શકાય. 
  • સામાન્ય રોગોમાં ફટકડી, સિંધાલૂણ, હળદર, એલચી, જાયફળ, તજ, લવીંગ વગેરેનાં મિશ્રણથી બનાવેલો ઉકાળો પણ ખુબ સારું કામ આપે છે.
  • ૨ થી ૩ વખત ગંડુશ કરવું.
  • શોધન ગંડુશથી સંપૂર્ણ મુખમાં જામેલો મળ, સળો, જંતુઓ, કફ, ચીકાશ દૂર થાય છે.

 

સ્નેહ ગંડુશ:

  • તેમાં ડિટોક્ષ માટે ઔષધીય તેલ વપરાય છે. સામાન્ય રીતે બલા તેલ, યષ્ટિમધુ તેલ, ઈરેમેદાદી તેલ વગેરે ઉપયોગી છે. ઉપરાંત કાળા તલનું તેલ પણ વાપરી શકાય છે.
  • શોધન ગંડુશથી સાફ થયેલાં પેઢા અને દાંત તેલથી મજબુત થાય છે.

 

શમન ગંડુશ:

  • તેમાં ડિટોક્ષ માટે દૂધ, મધ, પંચવલ્કલ કવાથ વગેરે વપરાય છે. 
  • અંત માં આ ગંડુશ કરાવવાથી મુખ ખુબ જ સ્વચ્છ, ચિકાશ રહિત, સુગંધિત બને છે અને તેમાં વધારાની ગરમી દૂર થઇ ઠંડક થાય છે.

 

ઉપરની ગંડુશ પ્રક્રિયા કરી લીધા પછી નવસેકા પાણીથી ખુબ જ સારી રીતે કોગળાં કરવાં અને થોડું નવસેકું પાણી પીવું. ત્યારબાદ અડધી કલાક પછી કોઈ પણ ખોરાક લેવો.

 

કેટલાક ખાસ મુખારોગો માં ઉપયોગી ગંડુશ માટેના ડેટોક્ષ ઔષધો:

  • દાંત અંબાઈ જવા, દાંત હલવા, દાંતનો દુઃખાવો, વ્યસન ને કારણે મોઢું ખુલતું ના હોય તો કાળા તલનું પાણી બનાવી તેનાથી ગંડુશ કરવાં.
  • મોઢું કે જીભ પાક્યા હોય, તેમાં ચાંદા પડ્યા હોય, બળતરા થતી હોય અથવા તો કોઈ પણ ગરમ વસ્તુથી મોઢું દાઝી ગયું હોય તો તેમાં ગાય નું દુધ અથવા ઘી થી ગંડુશ કરવાં.
  • મોઢાની ચીકાશ, જીભમાં ચીરો કે ઘા થવો, બળતરા વગેરેમાં મધ નું ગંડુશ કરવું.
  • મોઢામાં ખુબ જ લાળ આવવી, ચીકાશ અને કફા ચોટેલો રહેતો હોય તો યવક્ષારનાં પાણીથી ગંડુશ કરવું.

Read More

કાનની બહેરાશ ને અટકાવવા રોજ કરો : કર્ણ પુરણ

આયુર્વેદમાં કહેલી અનેક પ્રક્રિયાઓ દેખાવમાં સામાન્ય લાગતી હોવાં છતાં તેનું અનુસરણ કરવાથી વ્યક્તિને સ્વાસ્થ્ય સમૃદ્ધિ પ્રદાન કરે છે. કર્ણ પુરણ પણ એવી જ પ્રક્રિયાઓમાંથી એક છે.

 

કાન એ સાંભળવાનું અને શરીરનું સંતુલન જાળવવાનું કામ કરે છે. કાનનાં સૌથી અંદરના ભાગમાં જેને અંતઃ કર્ણ કહેવાય છે તેમાં આ કાર્ય કરવા માટે દુનિયાનાં સૌથી ઉમદા સેન્સર આવેલાં છે. આ સેન્સર એટલે એક વિશેષ જ્ઞાનતંતુ ના કોષો; જેને હેર સેલ કહે છે. 

 

માનવશરીરના જન્મ સમયથી જ હેર સેલ એક માર્યાદિત સંખ્યામાં (આશરે ૧૫૦૦૦) જ ઈશ્વરે આપેલાં છે. એક વખત હેર સેલ ડેમેજ થયા પછી તેને ફરી બનાવવાની ક્ષમતા માનવશરીરમાં નથી. જેમ જેમ ઉંમર વધતી જાય છે તેમ તેમ આ હેર સેલની સંખ્યા ઘટતી જાય છે. આ ઉપરાંત બહારનાં પરિબળો જેવા કે અતિ ઘોંઘાટ, લાઉડ સ્પીકરના તીવ્ર અવાજ, ધ્વનિ પ્રદુષણ, ડાયાબીટીસ જેવાં રોગો વગેરેને કારણે પણ હેર સેલ ડેમેજ થતાં જાય છે. 

 

વર્તમાન સમયમાં ધ્વનિ પ્રદુષણ ખુબ જ ભયજનક રીતે વધતું જાય છે. સડકથી કરીને સિનેમા સુધી અનેક પ્રકારના તીવ્ર અવાજ આપણા કાને જાણે અજાણે પડે છે, જે નાની ઉંમરમાં પણ હેર સેલ ડેમેજ કરી શરીરની સાંભળવાની અને સંતુલન કરવાની ક્ષમતાને ધીરે ધીરે ઓછી કરે છે.

 

એક સર્વે મુજબ ચાલીશી વટાવેલા ઘણાં લોકોમાં અંશતઃ બહેરાશ આવી જાય છે. આ સાથે જ કાનમાં અવાજ આવવો, સતત ચકકર આવવા, કાનમાં વારંવાર વેક્સ જામી જવો, કાનમાંથી પસ જેવું પ્રવાહી સતત નીકળવું વગેરે રોગોમાં કર્ણ પુરણ ઉપયોગી છે.

 

કર્ણ પુરણ શું છે?

 

ઔષધીય પ્રવાહીથી કાન ને અમુક ચોક્કસ સમય સુધી પૂરે પૂરું ભરી રાખવાની પ્રક્રિયાને કર્ણ પુરણ કહે છે.

 

ક્યારે કરવું?

 

  • દિનચર્યા માં રોજ રાત્રે સુતી વખતે અથવા સુર્યાસ્ત પછી.
  • પંચકર્મ નાં ભાગરૂપે કોઈ પણ સમયે ભૂખ્યા પેટે અથવા જમ્યાનાં 4 કલાક પછી.

 

કયા ઔષધ થી કરવું?

 

ઔષધિથી સિદ્ધ કરેલું તેલ, કાળા તલનું તેલ, સરસિયું તેલ, ગૌમુત્ર, વનસ્પતિના પાન નો રસ વગેરેમાંથી રોગ અને તાસીર અનુસાર વૈદ્યની સલાહ મુજબ કરવું.

 

કઈ રીતે કરવું?

 

  • વ્યક્તિને કોઈ પણ એક પડખાભેર સુવડાવી તેનાં કાનની આસપાસ ગરમ કપડા વડે થોડો સેક કરવો. ત્યારબાદ ઔષધિથી પૂરો કાન ભરી દેવો. 
  • કાન નાં રોગ માટે ૩ થી ૧૦ મિનીટ, 
  • ગળાના રોગોમાં ૧૫ મિનીટ અને 
  • માથાનાં રોગોમાં ૩૦ મિનીટ સુધી ઔષધ ભરી રાખવું. 
  • ઔષધ ભરેલું હોય તે દરમિયાન કાનનાં મૂળમાં થોડું  મર્દન કરવું કે મસળવું.

 

કર્ણ પુરણ પછી તરત શું કરવું?

 

કોટન સ્પંજ થી કાનમાંથી ઔષધિ કાઢી લેવી. અને સ્વચ્છ કોટનથી કાન ઢાંકી દેવો. તરત ઠંડા પાણીનો સ્પર્શ ન કરવો.

 

કેટલી વાર કરવું?

 

આપની પ્રકૃતિ મુજબ વૈદ્યની સલાહ અનુસારના તેલ થી રોજ રાત્રે કર્ણ પુરણ કરવું. જ્યારે કોઈ રોગ વિશેષ માટે કરવાનું હોય તો તે માટે વૈદ્યની સલાહ અનુસરવી.

 

કેટલાં દિવસ સુધી કરી શકાય?

 

દૈનિક પ્રક્રિયા નાં ભાગ રૂપે રોજ કરી શકાય. કોઈ ખાસ રોગ માટે કરવું હોય તે રોગ શાંત થાય ત્યાં સુધી કરવું.

 

કયા રોગમાં ન કરવું?

 

અતિશય કફનાં રોગોમાં તેલથી કર્ણ પુરણ ન કરવું.

 

કર્ણ પુરણ થી થતાં લાભ:

 

  • માથામાં વાયુનાં દોષની શાંતિ થાય છે
  • કાન નો દુઃખાવો મટે છે
  • બહેરાશ આવતી નથી
  • કાનના જ્ઞાનતંતુઓ હેર સેલ ને પોષણ મળે છે જેથી કાનમાં તમરા બોલવા, ચિત્ર-વિચિત્ર અવાજ આવવા વગેરે માં લાભ થાય છે.
  • ડોક,જડબા અને માથાનાં સ્નાયુઓ જકડાઈ જવાનાં રોગો અને દુઃખાવા મટે છે અને ફરી થતાં નથી.
  • ગાઢ અને સ્વપ્ન વગરની ઊંઘ આવે છે.

 

સારાંશ:

 

કર્ણ પુરણ નો પ્રયોગ દૈનિક કરવાથી માથું, કાન, જડબા, ડોક વગેરેનાં રોગો થતાં નથી અથવા થયેલાં રોગોમાં રાહત થાય છે. કાનનાં જ્ઞાનતંતુઓ ને પોષણ તેમજ રક્ષણ મળે છે અને બહેરાશ આવતી નથી.

Read More

सावधान आप भोजन ले रहे है या विष?

दोस्तों आज एक ऐसी समस्या के बारे में बात करेंगे जिस हम सब जानते तो है पर उसे का उपाय किसी के पास नहीं। बात है हमारे शरीर में भोजन आदि से जा रहे हानिकारक ज़हर के बारे में। 

 

जी हाँ हम सब ये भलीभाँती जानते है की आज कल हम जो भी खा रहे है, पी रहे है यहाँ तक की जो सांस ले रहे है उन सब में हानिकारक केमिकल या जहर मिले हुए है। पर इन टॉक्सिन को शरीर में जमा होने से रोकना या उन्हें निकालने का उपाय क्या है???? 

 

जानना चाहते है?? तो इस वीडियो को अंत तक जरूर देखिये। 

 

पर पहले बात करते है की ये टॉक्सिन क्या है और किस प्रकार ये हमारे शरीर में जमा होते जा रहे है। 

 

हमारे आहार के मूलभूत आधार जैसे अनाज, फल, सब्जियाँ, ड्राई फ्रूट्स इन सभी को खेत में बोने, उगाने, पकाने से लेकर प्रीजर्व करने की अनेक प्रक्रियाओं से जब वे आपकी थाली तक पहोचते है तब तक प्रत्येक स्तर पर उन में अनेक हानिकारक पेस्टिसाइड्स, हॉर्मोन्स इंजेक्शन, आर्टिफिशियल कलर और फ्लेवर, ब्लीचिंग एजेंट आदि का प्रयोग होता है। साथ ही मिलावट का जहर अब दूध, घी, तेल, मसाले, मिल्क प्रोडक्ट्स में बढ़ाते ही जा रहा है। 

 

भोजन में इन सब का प्रयोग पाचन की समस्या, मुँह और आंतो में छाले, ब्लड, हॉर्मोन्स, विटामिन आदि की  डेफिशियंसी, चमड़ी के रोग से लेकर कैंसर तक की भयंकर बिमारीया होती है। साथ ही यह जहरीले रसायन हमारे शरीर के महत्वपूर्ण अंगों जैसे हृदय, गुर्दे, यकृत, आंख, मस्तिष्क, तंत्रिका तंत्र और मांसपेशियों को नुकसान पहुंचाते हैं।

 

अब बात करते है जल की। कहते है जल ही जीवन है। पर आज यही जल  जगह रोग का कारण बनाता जा रहा है। हमारा दुर्भाग्य है की ज्यादातर पानी आज सीधा पीने लायक नहीं रहा।  हमें किसी ना किसी रूप में वोटर प्यूरीफायर का उपयोग करना पड़ता है। ये RO प्यूरीफायर पानी में से महत्वपूर्ण मिनरल्स को निकाल देते है।  जिसे पीने से आज विटामिन बी १२ , कैल्शियम, मेग्नेशियम आदि की कमी बहुत आम हो गई है। जिस से पाचन खराब होना, ह्रदय किडनी की समस्या, माँसपेशिओ में ऐंठन आदि होता है। 

 

हमारा प्राण है हवा।  जी हां आहार और पानी के बगैर तो आप शायद २ ३ दिन निकाल ले पर हवा के बिना २ ३ मिनट भी रहने जानलेवा जो सकता है। पर आज का वायु प्रदूषण कार्बन डाइऑक्साइड, कार्बन मोनोऑक्साइड, नाइट्रोजन डाइऑक्साइड, सल्फर डाइऑक्साइड आदि में हम साँस ले रहे हैं जो हमारे फेफड़े और हृदय को बीमार बना रहे हैं।

ख़ास कर  बच्चों, बुजुर्गों और गर्भवती माताओं पर सबसे बुरा प्रभाव हो रहा है।  अस्थमा, कैंसर, एलर्जी के केसीस बढ़ाते जा रहे है।

 

हवा, पानी और भोजन के यह जहर काम पद रहे थे तो हमने मौज मस्ती के लीए भी जहर लेना शरू कर दिया है 

 

जी हाँ बीड़ी, सिगरेट, दारु, तंबाकू आदि का सेवन फास्ट फ़ूड, चाइनीज़ फ़ूड, कोल्ड ड्रिंक्स, टिन फ़ूड, ये सब अनेक हानिकारक टॉक्सिन को शरीर में पहोचा रहे है। आज देखते है की ३० साल  युवा ५० साल के बूढ़े जैसा दिख रहा है। अनेक गंभीर बीमारियां हो रही है जो ज्यादातर ला-इलाज है। 

 

इसका उपाय क्या?? हम खाना, पीना या सांस लेना तो छोड़ नहीं सकते ??

 

में भी जब ये सोचा रहा था तब अचानक ध्यान गया सुश्रुत संहिता में।  महर्षि सुश्रुत ने एक पूरा विभाग याने कल्प स्थान लिखा है जिस में आहार आदि के साथ आने वाले इस विष को गर विष कहा है। 

 

धन्य है महात्मा सुश्रुत जिन्होंने इस गर विष का उपाय बताया।  जो है आयुर्वेदीय पंचकर्म। 

 

हमने ख़ास रूप से महर्षि सुश्रुत के इस उपाय पर  संशोधन कर के एक विशेष डोटोक्स थेरापी की शोध की।  जी स के बारे हम हम अगले वीडियो में आप को पूरी जानकारी देंगे। 

Read More

क्या आप का विटामिन डी बार – बार कम हो जाता है ? जानिए क्या है आयुर्वेदिक उपाय

विटामिन डी बार बार कम होने के आयुर्वेद के अनुसार क्या कारण हो सकते है? ये जानीए:

 

Slow Digestion is one of the main cause.

 

जठराग्नि मंद होना

वर्त्तमान समय में अधिकाँश लोग पाचन की समस्या से पीड़ित है| 

  • कभी कम, कभी ज्यादा भोजन, कभी समय पर या कभी बिना समय के भोजन लेना ,
  • पहले लीए  भोजन का पूर्ण पाचन  न होने पर भी खाते रहना , 
  • अपनी प्रकृति (वायु, पित्त या कफ ) से विपरीत भोजन लेना , 
  • होटेल या रेस्तरों फास्टफ़ूड का अधिक सेवन, 
  • किसी लंबी बीमारी के कारण, 
  • मल-मूत्र की स्वाभाविक प्रवृति को रोकना 
  • किसी प्रकार का व्यायाम न करना 

 

आदि कारणों से पाचन शक्ति (जठराग्नि) कम हो जाती है | जठराग्नि मंद होने से आहार संपूर्ण रूप से पचता नहीं है पर अपक्व रहता है | ये अपक्व आहार शरीर को पोषण नहीं देता | फिर भले ही हम रोज दूध , घी, केला, ड्राय फ्रूट्स आदि पोषक आहार लें पर जठराग्नि की मंदता से शरीरमें उसका पोषण नहीं मिलता |

 

Diet & Lifestyle that produces excessive Vata Dosha is key in vitamin D deficiency. 

 

वात दोष का बढ़ना वाले आहार-विहार का सेवन

 

  • रुखा-सूखा और भारी आहार जैसे बेकरी प्रोडक्ट्स, नमकीन, राजमा, छोले, चना, मटर , आलू, फास्ट फ़ूड
  • ज्यादा मात्रामें कच्ची सब्जी या सलाद का सेवन
  • कोल्ड ड्रिंक्स या एरेटेड ड्रिंक्स सोडा वगेरा
  • फ्रीज में रखी ठंडी चीजें
  • तरबूच, खरबुचा, सुपारी आदि ठंडे फल
  • फर्मेन्टेड फ़ूड का अधिक सेवन जैसे इडली, ढोसा आदि
  • आहार मे स्नेह (गाय का घी, तिल का तेल आदि) न लेना
  • रात्री को जागना या देर तक जागना
  • पुरे दिन चिंता में या विचारो में रहना 

 

इस प्रकार बढ़ा हुआ वात दोष अस्थि धातु (Bones) को अंदर से खोखला करने लगता है। 

 

साथ ही वायु दोष बढ़ने से भी विटामिन डी कम होता है।

Read More

Is Honey + Hot Water = Toxins?? – Know Ayurveda facts

शहद + गरम पानी + नींबू : क्या वजन कम करने का सबसे प्रचलित प्रयोग हानिकारक है ? जाने वास्तविकता

मोटापा हमारे देश की एक सबसे गंभीर स्वास्थ्य समस्या बनता जा रहा है। लोग इतने परेशान है की जो भी सरल उपाय लगे अपने शरीर पर परीक्षण करना शरू कर देते है। सोशियल मीडिया पर भी मोटापा कम करने वाले कथित नुस्खों की भरमार है। आज की व्यस्त जीवनशैली में अधिकाँश लोग “डूबते को तिनके का सहारा” की तरह बिना सोचे समझे उन नुस्खों को अपनाते जा रहे है। आज ऐसे ही एक नुस्ख़े के बार में बात करेगें जो दुर्भाग्यवश बहुत प्रचलित है पर लाभ की तुलना में हानि अधिक कर रहा है।

सोशियल मीडिया पर ये घरेलु नुस्खा बहुत वायरल है की १ ग्लास गरम पानी में नींबू का रस और शहद मीलाकर प्रातः काल पीने से वजन कम होता है।  ऐसा दावा किया जाता है की ये चमत्कारी प्रयोग अनेकों बीमारियों का एक मात्रा सटीक उपाय है। हमने भी इस प्रयोग को आयुर्वेद के अनेक ग्रंथो के अभ्यास से परखने का निश्चय किया। जो तथ्य सामने आये वो आश्चर्यजनक था।

हमने पाया यह प्रयोग आयुर्वेद में बताए दो अलग अलग प्रयोगों का मिश्र रूप है जिस से हानि हो रही है। नीचे बताये संदर्भ से इन्हें समझे :

 

१  अग्निं दीपयति , वातमनुलोमयति

—–चरक सू. 26/83

 

   श्लेश्मामवातमेदोघ्नं उष्णोदकं

—–भावप्रकाश पूर्व  1/23

 

प्रातः काल गरम पानी में नींबू का रस डालकर पीने से जठराग्नि प्रदीप्त होकर पाचन सुधरता है , भूख लगती है ,गैस की समस्या दूर होती है। इसके अलावा यह मेद धातु को भी कम करके वजन घटाता है।

 

२  शिशिरान्बु पिबेन्मधुप्रयुक्तं गणनाथो अपि भवेत्किलास्थिशेष: |

— वैद्यजीवनं ⅘

 

वैद्यजीवन नामक ग्रंथ में बताया गया है की प्रातः कल ठन्डे पानी में शहद मीलाकर पीने से गणेश जी जैसा भी हड्डी शेष रह जाता है।

 

दोनों प्रयोग अपनी अपनी जगह श्रेष्ठ व परिणाम देने वाले है पर जब उनका मिश्रण कर दिया जाता है तो लाभ की तुलना  हानि अधिक देखने मिलती है जैसे :

 

१) गरम पानी के साथ मधु विरुद्ध होने के कारण नुक़सानदेह है ऐसा अभी आयुर्वेद महर्षियों का मत है। यह एक प्रकार का विषैला मिश्रण बनाता है जो धीरे धीरे slow poison की तरह हानि पहुंचाता है।

उष्णै: विरुध्यते सर्वं विषान्वयता मधु|| –सुश्रुतसंहिता सुत्रस्थान ४५/१४४

 

२ ) अत्याधिक मात्रा में नींबू का प्रयोग करने से चमड़ी पर फोड़े, फुंसी , खुजली होना, मांस एवं अस्थि शिथिल करने से जोड़ों में दर्द , घुटनों का घीसना , एसिडिटी का बढ़ाना, बालों का झड़ना आदि दुष्प्रभाव देखे जाते है। साथ ही गठीया जैसे गंभीर जोड़ों के रोग हो सकते है ऐसा चरक महर्षि बताते है।

रक्तं दूषयति, मासं विदहति, कायं शिथिलीकरोति चरक सू. 26/43

 

अगर आप भी यह प्रयोग गलत तरीके से कर रहे है तो उसे रोकें।  इस प्रयोग करने का सही तरीका, किस प्रकार की प्रकृति या तासीर में कौन सा प्रयोग उपयुक्त है ये हम आगे बताएंगे।

Read More

Feeling Shame due to body odour? Try this simple Ayurveda remedy

 શું આપ પસીના ની વાસ થી ખુબ શરમજનક સ્થિતિમાં મૂકાવ છો? તો ઉદ્વાર્ત્ન થી કરો દૂર

 

પરસેવાનું વધુ પ્રમાણ અને તેની ભયંકર વાસને કારણે લોકો જાહેરમાં શરમ અને લઘુતાગ્રંથિ અનુભવે છે. આ સમસ્યાનું મૂળ કારણ ઠીક કર્યા વગર માત્ર બહારથી લગાડેલાં પરફ્યુમ્સ કે ડિઓડરન્ટ્સ થોડીવાર માટે જ અસરકારક રહે છે.

સ્વેદ એ શરીરનો એક પ્રકારનો મળ ભાગ છે જે લોહી અને ચરબી ની અશુદ્ધિને શરીરમાંથી બહાર કાઢે છે. શરીરનાં શુદ્ધિકરણ અને ચામડી ની ચીકાશ ને જાળવી રાખવા માટે પરસેવાનું યોગ્ય પ્રામાણમાં નીકળવું જરૂરી છે.

 

પરસેવો વધુ પડતો અને અતિ દુર્ગંધ યુક્ત હોવાનાં કારણો:

  1. શરીરમાં ચરબી નું વધુ પડતું પ્રામાણ (मेद दुष्टि)
  2. શરીરમાં લોહી ની અશુદ્ધિ ( शोणित प्रदोष)

ખાસ કરીને મેદસ્વી લોકોનાં શરીરમાં વધુ પડતાં મેદને કારણે ખુબ જ પરસેવો નીકળ્યા કરે છે. મેદસ્વી લોકો જ્યારે વધુ પડતું વાસી, તળેલું, આથાવાળું અને જંકફૂડ આરોગે છે ત્યારે તેમની ચરબી અને લોહી માં એક પ્રકારની અશુદ્ધિ થાય છે જેને કારણે તેમનાં પરસેવા માંથી ખુબ જ દુર્ગંધ આવે છે.

આ જ રીતે મેદસ્વી ન હોય તેવાં લોકોમાં પણ લોહીનો બગાડ થવાથી પરસેવાની સમસ્યા જોવાં મળે છે. આથાવાળી વસ્તુઓ, બેકરીની વસ્તુઓ, જંકફૂડ, વાસી, તળેલું, અતિ મસાલેદાર ખોરાક, માંસાહાર, અથાણાં, ગોળ, ડુંગળી, દારૂ, નમક, અડદ, સળેલો-દુર્ગંધિત આહાર, વિરુદ્ધ આહાર વગેરેના વધારે પડતાં સેવન થી લોહીનો બગાડ (રક્ત દુષ્ટિ) થાય છે. આ ઉપરાંત કબજીયાત ની ફરિયાદ પણ પરસેવાની સમસ્યાને વધારી દે છે.

આથી પરસેવાની સમસ્યા દૂર કરવા તેનાં કારણોથી દૂર રહેવું જોઈએ. ખાસ કરીને ઘરનો બનેલો તાજો, પોષ્ટિક, સાત્વિક અને શુદ્ધ આહાર લેવો. નિયમિત વ્યાયામ અને યોગ કરી મેદને ઘટાડવું. કબજીયાત ન રહે તે માટે ત્રિફળાચૂર્ણ, હરિતકી ચૂર્ણ, ત્રિફલા ગુગળ વગેરે વૈદ્યની સલાહ અનુસાર લેવું. પરસેવાની સમસ્યામાં ઉદ્વર્તન પ્રયોગ ખુબ જ લાભદાયી છે.

 

ઉદ્વર્તન શું છે?

સામાન્ય ભાષામાં ઉબટન તરીકે ઓળખાતો આ પ્રયોગ ખરેખર એક આયુર્વેદીય સારવાર પ્રક્રિયા જ છે. ઉદ્વર્તન એટલે શરીરને સુકા કરનારા ઔષધો માંથી કોઈ પણ ઔષધોનો કરકરો પાઉડર બનાવી સ્નાન કરતાં પહેલાં તેને શરીર પર ચોળવું.

 

ક્યારે કરવું?

સવારે અથવા સાંજે સ્નાન કરતાં પહેલાં

 

ક્યાં ઔષધથી કરવું?

ત્રિફલા, આમળા, ઘોડાવજ, બાજરી, જવ, ચણા વગેરેનાં કરકરા પાઉડરનો વૈદ્ય ની સલાહ અનુસાર ઉપયોગ કરી શકાય છે.

 

કઈ રીતે કરવું?

રુંવાટીથી અવળી કે ઉલટી દિશામાં ચામડી પર પાઉડરને ચોળીને ઘસવું.

 

કેટલી વાર સુધી કરવું?

આખા શરીરમાં કરવાં માટે લગભગ ૨૦ થી ૪૫ મિનીટ સમય લાગે. દિવસમાં એક વખત કરવું.

 

કેટલાં દિવસ કરી શકાય?

ચામડીમાં દેખીતી રીતે સુકાપણું ન આવે ત્યાં સુધી અથવા તો વૈદ્યની સલાહ અનુસાર.

 

કયા રોગો માં ના કરવું?

દુબળા શરીરવાળા, સુકી ચામડી હોય તેવાં વાત પ્રકૃતિનાં રોગીઓમાં ના કરવું.

 

શું લાભ થાય?

  • ત્વચાનાં છિદ્રો ખુલી ત્વચા સ્વચ્છ બને.
  • સ્વેદ ગ્રંથિઓ નિર્મળ બને અને પરસેવો નું પ્રમાણ યોગ્ય થાય
  • શરીરમાં ચરબી ઘટે અને મેદ વિકારો ઓછા થાય
  • રક્ત શુદ્ધિકરણ થવાથી ચામડીનાં રોગો મટે
  • બ્લડ સુગર ઘટે
  • ચામડીની ચીકાશ અને દુર્ગંધ ઘટે

 

સારાંશ:

ચરબી અને રક્ત ની દુષ્ટિને કારણે થતી પરસેવાની સમસ્યામાં આયુર્વેદીય ઔષધો દ્વારા કરવામાં આવતી ઉદ્વર્તનની પ્રક્રિયા ખુબ જ લાભ આપે છે. વજન અને બ્લડ સુગર લેવલ ઘટાડવામાં ખુબ જ ઉપયોગી છે.

Read More

Is Honey safe for Diabetic Patients? Know Ayurveda Fact

ડાયાબીટીસ નાં રોગીઓ પણ લઇ શકે છે મધ; જાણો ડાયાબીટીસ માં મધ લેવાથી થતાં ફાયદા

   આયુર્વેદમાં 20 પ્રકારનાં પ્રમેહનો ઉલ્લેખ છે જેમાં મોટેભાગે હાલનાં ડાયાબીટીસ તરીકે કહેવાતાં રોગનાં લક્ષણોનો સમાવેશ થઇ જાય છે. ડાયાબીટીસના દર્દીઓને દરેક પ્રકારનું ગળપણ ખાવામાં ખુબ જ સાવધાની રાખવાની જરૂર હોય છે. બધાં જ ગળપણ ની જેમ મધ લેવામાં પણ ડાયાબીટીસ નાં દર્દીઓ ભય અનુભવતા હોય છે. પણ જો થોડી આયુર્વેદીય સૂચનોને ધ્યાન રાખવામાં આવે તો મધ લેવું ડાયાબીટીસ માં ફાયદારૂપ થઈ શકે છે.

  આયુર્વેદ અનુસાર જુનું મધ મધુમેહ માં ફાયદા રૂપ છે. જો મધુમેહ રોગમાં પાચનશક્તિ (જઠરાગ્ની) ની જાળવણી સાથે થોડા પ્રમાણમાં મધ લેવામાં તો તેનાથી સુગર કંટ્રોલ કરવામાં મદદ મળે છે.  તેમજ રોગીની વારંવાર ગળપણ લેવાની ઈચ્છા પણ સંતોષાય છે. આ સાથે જ ડાયાબીટીસ નાં કારણે શરીરમાં થતી સમસ્યાઓમાં સુધાર થતો જોવાં મળે છે. ડાયાબીટીસના રોગીમાં લાંબા ગાળે શરીરનાં વિવિધ અગત્યનાં અંગો કિડની, આંખ, જ્ઞાનતંતુઓ વગેરેની કાર્યક્ષમતા ઘટે છે.

  આયુર્વેદમાં મધ ને ઉત્તમ રસાયન કહેલું છે, જેનો નિત્ય પ્રયોગ શરીરનાં દરેક અંગોની કાર્યક્ષમતામાં અનેક ગણો વધારો કરે છે. મધ આંખ, મગજનાં કોષો, કીડાની, લીવર, હૃદય વગેરે માટે ઉત્તમ ટોનિક છે. આમ જો ડાયાબિટીસના દર્દી મધ નો ઉપયોગ રોજિંદા વપરાશમાં કરે તો તેના આ અંગો વધુ કાર્યક્ષમ બને છે અને તેમાં ખામીઓ સર્જાતી નથી. આયુર્વેદનાં ઋષિઓએ કહેલી આ વાતને હવે અમેરિકન લાયબ્રેરી ઓફ મેડિસિન નાં શોધપત્રમાં પ્રમાણિત કરવામાં આવી છે.

કઈ રીતે કરશો મધ નો પ્રયોગ:

આહાર માં:

  • જ્યાં મધ ની મીઠાશ ભળી શકતી હોય તેવા આહાર માં મધ નો ઉપયોગ કરી શકાય છે. જેમાં કે છાશ કે દૂધ માં થોડું મધ ઉમેરી ને લઇ શકાય છે.
  • રોજ જવ ની રોટલી કે ભાખરી પર મધ લગાવી ને ખાઈ શકાય છે.
  • મધ અને લીબું નું શરબત બનાવી ને લઇ શકાય છે.
  • આમળાના રસમાં મધ ઉમેરીને લઇ શકાય.

ઔષધમાં:

  • ગળો નો ઉકાળો બનાવી તેમાં મધ ઉમેરીને લેવાથી ખૂબ જ લાભ રહે છે.
  • આમળા અને હળદરનું ચૂર્ણ સમાન ભાગે લઇ તેમાં મધ મેળવી સવારે નરણા ચાટવાથી ડાયાબીટીસ માં રોગ પ્રતિકારક શક્તિ વધે છે.
  • આદુના રસ સાથે મધ લેવાથી પાચનશક્તિ શક્તિમાં સુધારો થાય છે.

 

સારાંશ: “મધ નો પ્રયોગ આયુર્વેદીય સૂચનો અનુસાર કરવાથી ડાયાબીટીસ નાં કારણે શરીરમાં થતાં નુકસાન અટકે છે અને રોગીનાં સ્વાસ્થ્યમાં સુધારો જોવાં મળે છે.”

Read More

Are You Doing Night Shift? Read This for Maintaining better health

જો આપને નાઈટ શિફ્ટ ને કારણે ઉજાગરા કરવા પડે છે તો આ લેખ છે તમારા માટે ખાસ જરૂરી

વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO) મુજબ લાંબા સમય માટે થતાં ઉજાગરા અને રાત્રે કામ કરવું તેમજ દિવસે સુવાની વિપરિત ટેવ ને કારણે શરીરમાં ડાયાબીટીસ થી લઈને કેન્સર સુધીનાં રોગો થાય છે. પાચનતંત્ર ની સમસ્યાઓ, હૃદયરોગ, માનસિક રોગો, અલ્સર વગેરે અનેક સમસ્યા અનિયમિત ઊંઘ લેવાથી થાય છે.

આયુર્વેદ પણ સ્વાસ્થ્ય જાળવી રાખવા માટે પુરતી ઊંઘને ખુબ જ મહત્વ આપે છે. ભગવાન ચરક તો આહાર, નિદ્રા અને બ્રહ્મચર્ય ને સ્વાસ્થ્યના ત્રણ સ્થંભ કહ્યા છે. રાત્રે સ્વાભાવિક રૂપથી આવતી નિદ્રાને ચરક મહારાજે ભૂતધાત્રી એટલેકે શરીરને ધારણ કરનારી કહી છે. આ ઊંઘ યોગ્ય પ્રમાણમાં લેવાથી શરીરમાં અગ્નિ, બળ, સુખ અને આરોગ્ય વધે છે. આ સિવાય અન્ય કોઈ પણ સમયે લીધેલી નિદ્રા રોગને ઉત્પન્ન કરનારી છે.

રાત્રી જાગવાથી અને દિવસે સુવાની દિનચર્યા થી શરીરમાં નીચેનાં ફેરફાર થાય છે:

  1. વાત દોષ ખુબ જ વધે છે જેથી;
    1. થાક લાગે છે અને સ્ફૂર્તિ તેમ જ ઉત્સાહ ઘટે છે.
    2. ચામડી સુકી થઇ જાય છે.
    3. ગાઢ ઊંઘ આવતી નથી.
    4. સાંધા અને સ્નાયુઓમાં વા અને ઘસારો નો રોગ થવાની સંભાવના વધી જાય છે.
  2. અગ્નિ મંદ થાય છે જેથી;
    1. કબજીયાત થાય છે.
    2. અપચો, એસીડીટી, ગેસ, માથાનો દુઃખાવો વગેરે થાય છે.
    3. શરીરને પુરતું પોષણ ન મળવાથી વિટામીન, કેલ્શિયમ, લોહીની ખામી થાય છે.
  3. ત્રિદોષ પ્રકોપ થાય છે જેથી;
    1. ડાયાબીટીસ, હાઈ બીપી, કોલેસ્ટેરોલની સમસ્યા, હૃદય રોગ, મોટાપો થાય છે.
    2. શરીરમાં વિષ તત્ત્વોને બહાર કાઢવાની પ્રક્રિયા ધીમી પડે છે આથી કેન્સર જેવાં રોગો થઇ શકે છે.
    3. હોર્મોન્સ નું સંતુલન બગાડે છે.
  4. મન અશાંત થાય છે અને તમોગુણ વધે છે.
    1. ડીપ્રેશન જેવાં માનસિક રોગો થાય છે.
    2. સ્વભાવ ચીડિયો થવો, બેચેની થવી, ઊંઘ ના આવવી વગેરે જોવાં મળે છે.

આ મુશ્કેલીઓ ના થાય તે માટે આયુર્વેદે દર્શાવેલી આ સલાહનું અનુસરણ ઉપયોગી બની રહેશે:

દિનચર્યા સંબંધી સૂચનો

  • શરીરમાં વાયુ વધતો અટકાવવા માટે નાઈટ શિફ્ટથી ઘરે આવ્યા પછી સૌથી પહેલાં ગરમા ગરમ તેલ થી શરીરે માલીશ કરવી અને ગરમ પાણી થી સ્નાન કરી ખાલી પેટ સુઈ જવું.
  • સુતા પહેલાં કાનમાં નવસેકા તેલનું કર્ણ પુરણ કરવું અને માથામાં તેલ નાખવું.
  • શિફ્ટ ડ્યુટી નાં સમય મુજબ આખા અઠવાડિયામાં આપનાં ભોજન, ઊંઘ અને વ્યાયામના સમયનું પ્લાનીગ બનાવી તેને ખુબ જ પ્રામાણીકતાથી અનુસરણ કરવું. જેમકે નાઈટ શિફ્ટ પછી ક્યારે અને કેટલું દિવસે સુવું, ક્યારે ભોજન લેવું અને ક્યારે વ્યાયામ કરવો. આ કરવાથી શરીરને એક નિયમિતતાની આદત પડશે.

આહાર સંબંધી સૂચનો

  • રાત જાગીને આવ્યા પછી ભર પેટ જમીને ક્યારેય સુવું નહિ. શક્ય હોય તો જમ્યા વગર જ સુઈ જવાની આદત પાડવી, કેમકે જમીને ઊંઘ લેવાથી ત્રિદોષ પ્રકોપ થાય છે અને પાચનશક્તિ ખુબ જ બગાડે છે. જો વધારે ભૂખ લાગી હોય તો મોળી છાશ, ફળ વગેરે લેવું પણ અનાજ કે નાસ્તો તો ન જ કરવો.
  • ઉજાગરા વધારે થતાં હોય તો મગ સિવાયના કઠોળ નો ખોરાકમાં ઉપયોગ ઓછો કરવો. કઠોળ વધારે લેવાથી શરીરમાં વાયુ વધે છે.
  • દેશી ગાયનું ઘી મગજનાં જ્ઞાનતંતુઓ ને પોષણ આપે છે તેથી તેનું સપ્રમાણ સેવન કરવું. આથી ઉજાગરાને કારણે થતાં મગજનાં ઘસારાની અસર ઓછી રહે છે.

નિદ્રા સંબંધી સૂચનો

  • ઘણાં લોકો નાઈટ શિફ્ટ કર્યા પછી દિવસે બે ત્રણ કટકે ઊંઘ લે છે. એના કરતાં એક વખત માં જ સળંગ ૬ – ૭  કલાક એકસાથે ઊંઘ લઇ લેવી વધારે સારી.

સારાંશ:

નાઈટ શિફ્ટ ને કારણે થતું રાત્રી જાગરણથી શરીરમાં વાત દોષ વધે, અગ્નિ મંદ થાય અને લાંબા ગાળે ત્રિદોષ પ્રકોપ થઇ કેન્સર થી લઈને ડાયાબિટીસ જેવાં ગંભીર શારીરિક અને માનસિક રોગો થાય છે. આ માટે નિયમિત માલીશ કરવી, દિવસે જમ્યા પહેલાં જ પુરતી સળંગ ઊંઘ લઇ લેવી તેમ જ નિયમિત વ્યાયામ, યોગ અને પ્રાણાયામ કરવાં. વૈદ્યની સલાહ અનુસાર માત્રા બસ્તિ લેવાથી બધી જ સમસ્યા દૂર થાય છે.

Read More

Abhyanga : Real Method Of Doing Ayurvedic Massage as Described in Charak Samhita

ચરક મહારાજે બતાવી  શ્રેષ્ઠ માલીશ પદ્ધતિ જેમાં વિશ્વની દરેક મસાજ થેરાપી સમાઈ જાય છે

શરીર પર કોઈ પણ સ્નેહ એટલે કે તેલ અથવા ઘી ની માલીશ કરવાની પ્રક્રિયાને અભ્યંગ કહેવાય છે. માલીશ કરવાં માટેની અનેક પદ્ધતિઓ વિશ્વમાં પ્રચલિત છે જેવી કે થાઈ મસાજ, સ્વીડીશ મસાજ, ચાઇનીઝ મસાજ, એક્યુપ્રેશર મસાજ, કેરાલિયન ફૂટ મસાજ વગેરે. મસાજ ની આ પદ્ધતિઓ ખરેખર હજારો વર્ષો પૂર્વે આયુર્વેદનાં મહર્ષિ ચરકે કહેલી ત્રણ સ્ટેપની વિધિ નો વિસ્તાર માત્ર છે.

માલીશ કઈ રીતે કરવી તેની રીત ચરક મહર્ષિએ ખુબ જ સુંદર ઉદાહરણ દ્વારા સમજાવી છે.

તેમણે ત્રણ ઉદાહરણો દ્વારા માલીશ ની રીત સમજાવી છે:

 

1. સ્નેહ થી કુંભાર જેમ ઘડા ને લીપે તેમ (આખા શરીરે તેલ નો લેપ કરવો)

પહેલાનાં સમયમાં કુંભાર ઘડા પર તેલ નો લેપ કરતાં આથી ઘડા ખુબ જ ટકાઉ અને મજબુત બનતાં. તે જ રીતે પ્રથમ વ્યક્તિએ પુરા શરીર પર ગરમ નવસેકા તેલ નો લેપ કરવો. એટલે કે તેલ પુરા શરીર પર લગાડી દેવું. તેલ ક્રમશઃ ઉપર થી નીચે એટલે માથાથી પગ તરફ લેપ કરતાં હોઈએ તે રીતે લગાડતાં જવું.

 

2. ચમાર જેમ ચામડા ઉપર તેલને  ખુબ જ ઘસીને તેને તેલ પીવડાવે તેમ (મર્દન કરીને તેલ ને ઉંડે ઉતારવું)

ચામડાને મજબુત કરવાં માટે તેના પર ખુબ જ તેલ ઘસવામાં આવે છે. આથી ધીરે ધીરે તેમાં તેલ ઉતરતું જાય છે અને ચામડાની મજબુતી વધે છે. તે જ રીતે તેલ લેપન કર્યા પછી શરીર પર તેલ ખુબ ચોળવું એટલે કે ઘસીને મર્દન કરવાનું હોય છે. તેનાથી તેલ ચામડીના અંદર પહોંચી શરીરનાં અંદર પોતાની અસર બતાવે છે. કહેવાની આવશ્યકતા નથી કે મર્દન જેટલું સારું તેટલો વધુ લાભ.

 

3. વાહનોમાં પેડા ની ધારીમાં જેમ તેલ પુરાય તેમ (સાંધા, કાન, નાભિ સ્થાનો વગેરે માં તેલ પુરવું)

પૈડાની ધારીમાં જેમ તેલ પુરાવાથી તે મજબુત બને છે અને સરળતાથી વાહન દોડી શકે છે તે જ રીતે શરીરનાં પણ કેટલાક અંગો એવાં છે જેમાં તેલ પુરાવાની જરૂર પડે છે. દરેક સાંધામાં સારી રીતે તેલ લગાવવું જોઈએ. નાક, કાન, નાભિ આવા અંગોમાં તેલનાં ૩- 4 ટીપાં નાખવાથી શરીરરૂપી વાહન લાંબો સમય સુધી સારી રીતે દોડતું રહી શકે છે.

 

સારાંશ:

નવસેકા તેલ નું આખા શરીરમાં લેપન કરવું, ત્યાર બાદ ખુબ જ ઘસીને (મર્દન) તેલ ઉતરવું અને પછી કાન,નાક, નાભિ વગેરે અંગોમાં તેલ પુરવું (પુરણ). આમ લેપન, મર્દન અને પુરણ આ માલીશ નાં ત્રણ અગત્યનાં સ્ટેપ કરવાથી જ શરીર નાં બધાં અંગો સુધી માલીશ ની અસર પહોંચાડી શકાય છે.

Read More

How to increase vitamin D naturally by Ayurveda

विटामिन डी की कमी को दूर करने का सरल आयुर्वेदिक उपाय

What is Vitamin D and its Importance in Bone Health?

हमारी हड्डियों  में कैल्शियम की आपूर्ति  सही रूप से करने के लीए विटामिन डी अति आवश्यक है | हम जो आहार लेते है उसमें से कैल्शियम , फोस्फरस आदि मिनरल्स को आंत में से अवशोषण कर उसे हड्डियों तक पहोचाने के लीए विटामिन डी जरूरी है। जिस से हड्डियों की घनता (Bone Mineral Density) बनी रहती है।

Importance of Vitamin D in Health maintenance?

अनेक रोगो की रोकथाम और चिकित्सा के लीए भी विटामिन डी की महत्वपूर्ण भूमिका है। जैसे की डायबिटीस, हाय ब्लड प्रेशर , मल्टीपल स्केलेरोसिस , ह्रदय रोग, केन्सर ।

Vitamin D Deficiency :

अगर शरीरमें विटामिन डी की कमी होती है तो जोड़ों और मांसपेशीयों में दर्द, बालो का झड़ना, थकान, हड्डियों की कमजोरी , ओस्टीओपोरोसिस आदि लक्षण दिखाई देते है। साथ ही उस से वृद्धों में यादाश्त कम होना ,केन्सर आदि रोगों का खतरा रहता है।  यहाँ तक की इससे बच्चों में अस्थमा जैसी गंभीर बिमारी होने का भय बना रहता है।

How Ayurveda Helps in Vitamin D deficiency;

वर्तमान समय में विटामिन डी की कमी के किस्से बढ़ाते जा रहे है। लोगो को धूप में बैठने और सप्लीमेंट्स चालु रखने की सलाह दी जाती है। ये सब करने पर भी जब सप्प्लीमेंट्स बंध करते है तो थोड़े महीनों में इसकी फिर से कमी होना शुरू हो जाती है। कई बार तो रोगी भी टेबलेट्स लेते लेते परेशान हो जाते है।

यहाँ पर आयुर्वेद के मूलभूत सिद्धांत से चिकित्सा करने पर उत्तम परिणाम मील रहे है। आयुर्वेद में महर्षि वाग्भट्ट बताते है

“तत्र अस्थि स्थितो वायु:” —-  अष्टाङ्ग हृदय सू . 11/ 26

अर्थात अस्थि धातु याने हड्डियों की कमजोरी तभी होगी जब उसमें वात दोष बढ़ेगा। और उसको दूर करने के लीए तिक्त घृत का प्रयोग करना चाहिए।

हमने यही तिक्त घृत को पुरी शास्त्रीय विधि से देशी गाय के घी का उपयोग करके बनाया।साथ ही यह तिक्त घृत देने से पहले रुग्णों की जठराग्नि और मेद धात्वाग्नि को ठीक किया। क्युँकि जब तक अग्नि ठीक नहीं होता तब तक घृत का पाचन नहीं होगा और हमें निश्चित लाभ नहीं मिलेगा। इसके २ महीने लगातार प्रयोग से विटामिन डी की कमी स्थायी रूप से दूर हुई।

Read More