sanjeevani.ayuhospital@gmail.com
02836 257 374
Book Appointment
  • Home
  • Disease
  • Home Remedies
  • Body Detox
  • About Us
  • News
  • Free Consultation
  • Home
  • Disease
  • Home Remedies
  • Body Detox
  • About Us
  • News
  • Free Consultation
  • Home
  • Disease
  • Home Remedies
  • Body Detox
  • About Us
  • News
  • Free Consultation
  • Home
  • Disease
  • Home Remedies
  • Body Detox
  • About Us
  • News
  • Free Consultation
Blog
Home Ayurveda Abhyanga : Real Method Of Doing Ayurvedic Massage as Described in Charak Samhita

Send Inquiry!

Contact us quickly and easily using the following form and we will get back to you ASAP!

Ayurveda

Abhyanga : Real Method Of Doing Ayurvedic Massage as Described in Charak Samhita

Avatar Dr. Vishal Pandya March 30, 2019 0 Comments

ચરક મહારાજે બતાવી  શ્રેષ્ઠ માલીશ પદ્ધતિ જેમાં વિશ્વની દરેક મસાજ થેરાપી સમાઈ જાય છે

શરીર પર કોઈ પણ સ્નેહ એટલે કે તેલ અથવા ઘી ની માલીશ કરવાની પ્રક્રિયાને અભ્યંગ કહેવાય છે. માલીશ કરવાં માટેની અનેક પદ્ધતિઓ વિશ્વમાં પ્રચલિત છે જેવી કે થાઈ મસાજ, સ્વીડીશ મસાજ, ચાઇનીઝ મસાજ, એક્યુપ્રેશર મસાજ, કેરાલિયન ફૂટ મસાજ વગેરે. મસાજ ની આ પદ્ધતિઓ ખરેખર હજારો વર્ષો પૂર્વે આયુર્વેદનાં મહર્ષિ ચરકે કહેલી ત્રણ સ્ટેપની વિધિ નો વિસ્તાર માત્ર છે.

માલીશ કઈ રીતે કરવી તેની રીત ચરક મહર્ષિએ ખુબ જ સુંદર ઉદાહરણ દ્વારા સમજાવી છે.

તેમણે ત્રણ ઉદાહરણો દ્વારા માલીશ ની રીત સમજાવી છે:

 

1. સ્નેહ થી કુંભાર જેમ ઘડા ને લીપે તેમ (આખા શરીરે તેલ નો લેપ કરવો)

પહેલાનાં સમયમાં કુંભાર ઘડા પર તેલ નો લેપ કરતાં આથી ઘડા ખુબ જ ટકાઉ અને મજબુત બનતાં. તે જ રીતે પ્રથમ વ્યક્તિએ પુરા શરીર પર ગરમ નવસેકા તેલ નો લેપ કરવો. એટલે કે તેલ પુરા શરીર પર લગાડી દેવું. તેલ ક્રમશઃ ઉપર થી નીચે એટલે માથાથી પગ તરફ લેપ કરતાં હોઈએ તે રીતે લગાડતાં જવું.

 

2. ચમાર જેમ ચામડા ઉપર તેલને  ખુબ જ ઘસીને તેને તેલ પીવડાવે તેમ (મર્દન કરીને તેલ ને ઉંડે ઉતારવું)

ચામડાને મજબુત કરવાં માટે તેના પર ખુબ જ તેલ ઘસવામાં આવે છે. આથી ધીરે ધીરે તેમાં તેલ ઉતરતું જાય છે અને ચામડાની મજબુતી વધે છે. તે જ રીતે તેલ લેપન કર્યા પછી શરીર પર તેલ ખુબ ચોળવું એટલે કે ઘસીને મર્દન કરવાનું હોય છે. તેનાથી તેલ ચામડીના અંદર પહોંચી શરીરનાં અંદર પોતાની અસર બતાવે છે. કહેવાની આવશ્યકતા નથી કે મર્દન જેટલું સારું તેટલો વધુ લાભ.

 

3. વાહનોમાં પેડા ની ધારીમાં જેમ તેલ પુરાય તેમ (સાંધા, કાન, નાભિ સ્થાનો વગેરે માં તેલ પુરવું)

પૈડાની ધારીમાં જેમ તેલ પુરાવાથી તે મજબુત બને છે અને સરળતાથી વાહન દોડી શકે છે તે જ રીતે શરીરનાં પણ કેટલાક અંગો એવાં છે જેમાં તેલ પુરાવાની જરૂર પડે છે. દરેક સાંધામાં સારી રીતે તેલ લગાવવું જોઈએ. નાક, કાન, નાભિ આવા અંગોમાં તેલનાં ૩- 4 ટીપાં નાખવાથી શરીરરૂપી વાહન લાંબો સમય સુધી સારી રીતે દોડતું રહી શકે છે.

 

સારાંશ:

નવસેકા તેલ નું આખા શરીરમાં લેપન કરવું, ત્યાર બાદ ખુબ જ ઘસીને (મર્દન) તેલ ઉતરવું અને પછી કાન,નાક, નાભિ વગેરે અંગોમાં તેલ પુરવું (પુરણ). આમ લેપન, મર્દન અને પુરણ આ માલીશ નાં ત્રણ અગત્યનાં સ્ટેપ કરવાથી જ શરીર નાં બધાં અંગો સુધી માલીશ ની અસર પહોંચાડી શકાય છે.

Abhyanga Ayurvedic massage Ayurvedic realities Ayurvrdicinfo Charak Samhita Panchkarma આયુર્વેદ
How to increase vitamin D naturally by AyurvedaPrevHow to increase vitamin D naturally by AyurvedaMarch 23, 2019
Are You Doing Night Shift? Read This for Maintaining better healthApril 6, 2019Are You Doing Night Shift? Read This for Maintaining better healthNext

Related Posts

Ayurveda

Suffering from Asthma: Follow these simple Ayurveda tips during this spring

શ્વાસ ના રોગ ને કાબૂ માં લેવા અપનાવો આ સરળ આયુર્વેદિક ઉપાય...

Avatar Dr. Vishal Pandya March 9, 2019
Ayurveda

અનેકગણી અસર કરશે ઔષધિ; જો લેવામાં આવશે મધ સાથે

આયુર્વેદમાં ઔષધિની અસરકારકતા ને વધારવા માટે તેને જુદી જુદી વસ્તુ સાથે આપવામાં આવે છે....

Sanjeevani Sanjeevani September 24, 2019

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Categories
  • Ayurveda 23
  • Mobile 2
Top Article
  • સમયનાં અભાવમાં પણ આટલાં અંગોમાં તો ખાસ માલીશ કરવી.
  • શું આપ દાંત અને પેઢાની પીડા કે વ્યસનને કારણે થયેલાં મોઢાના રોગોથી પરેશાન છો? તો અપનાવો આ ડિટોક્ષ પ્રક્રિયાઓ
  • કાનની બહેરાશ ને અટકાવવા રોજ કરો : કર્ણ પુરણ
  • सावधान आप भोजन ले रहे है या विष?
  • કાચું મધ બનશે ઝેર; જાણો મધ નો પ્રયોગ કરતાં પહેલાં કેટલીક ખાસ બાબતો
Tags
#ayurveda #ayurvedawellness #fitness Abhyanga Asthma Asthma patient Ayurvedicinfo Ayurvedic massage Ayurvedic realities Ayurvrdicinfo benefits of Honey Charak Samhita Dincharya nature Panchkarma Shirodhara Skin Skin Disease Skin Problem symptoms Vachantrutu vasantPanchmi Vitamin D Vitamin D deficiency આયુર્વેદ કેસૂડાં વસંત ઋતુ

Sanjeevani expert performs various Panchakarma therapies according to need, situations and lifestyle of the patients.
We Are Always Here

Gandhidham:

2nd Floor, Time Square 1, Near Kidzee School, Sindhu Bag Road, Ward 7/B, Gurukul, Gandhidham

Phone: 02836-257374

Anjar:

Turiyavad, Opp. Gadhwali,

Nr. Advocate Dinesh Raval’s Office, Anjar - Kutch.

Phone: +91 9484494574
Subscribe

If you'd like to join our team, then we'd also love to hear from you.

© Copyright Sanjeevani Aryuvedic hospital. All Rights Reserved. Website designed and developed by Arkay Apps