Are You Doing Night Shift? Read This for Maintaining better health

જો આપને નાઈટ શિફ્ટ ને કારણે ઉજાગરા કરવા પડે છે તો આ લેખ છે તમારા માટે ખાસ જરૂરી

વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO) મુજબ લાંબા સમય માટે થતાં ઉજાગરા અને રાત્રે કામ કરવું તેમજ દિવસે સુવાની વિપરિત ટેવ ને કારણે શરીરમાં ડાયાબીટીસ થી લઈને કેન્સર સુધીનાં રોગો થાય છે. પાચનતંત્ર ની સમસ્યાઓ, હૃદયરોગ, માનસિક રોગો, અલ્સર વગેરે અનેક સમસ્યા અનિયમિત ઊંઘ લેવાથી થાય છે.

આયુર્વેદ પણ સ્વાસ્થ્ય જાળવી રાખવા માટે પુરતી ઊંઘને ખુબ જ મહત્વ આપે છે. ભગવાન ચરક તો આહાર, નિદ્રા અને બ્રહ્મચર્ય ને સ્વાસ્થ્યના ત્રણ સ્થંભ કહ્યા છે. રાત્રે સ્વાભાવિક રૂપથી આવતી નિદ્રાને ચરક મહારાજે ભૂતધાત્રી એટલેકે શરીરને ધારણ કરનારી કહી છે. આ ઊંઘ યોગ્ય પ્રમાણમાં લેવાથી શરીરમાં અગ્નિ, બળ, સુખ અને આરોગ્ય વધે છે. આ સિવાય અન્ય કોઈ પણ સમયે લીધેલી નિદ્રા રોગને ઉત્પન્ન કરનારી છે.

રાત્રી જાગવાથી અને દિવસે સુવાની દિનચર્યા થી શરીરમાં નીચેનાં ફેરફાર થાય છે:

  1. વાત દોષ ખુબ જ વધે છે જેથી;
    1. થાક લાગે છે અને સ્ફૂર્તિ તેમ જ ઉત્સાહ ઘટે છે.
    2. ચામડી સુકી થઇ જાય છે.
    3. ગાઢ ઊંઘ આવતી નથી.
    4. સાંધા અને સ્નાયુઓમાં વા અને ઘસારો નો રોગ થવાની સંભાવના વધી જાય છે.
  2. અગ્નિ મંદ થાય છે જેથી;
    1. કબજીયાત થાય છે.
    2. અપચો, એસીડીટી, ગેસ, માથાનો દુઃખાવો વગેરે થાય છે.
    3. શરીરને પુરતું પોષણ ન મળવાથી વિટામીન, કેલ્શિયમ, લોહીની ખામી થાય છે.
  3. ત્રિદોષ પ્રકોપ થાય છે જેથી;
    1. ડાયાબીટીસ, હાઈ બીપી, કોલેસ્ટેરોલની સમસ્યા, હૃદય રોગ, મોટાપો થાય છે.
    2. શરીરમાં વિષ તત્ત્વોને બહાર કાઢવાની પ્રક્રિયા ધીમી પડે છે આથી કેન્સર જેવાં રોગો થઇ શકે છે.
    3. હોર્મોન્સ નું સંતુલન બગાડે છે.
  4. મન અશાંત થાય છે અને તમોગુણ વધે છે.
    1. ડીપ્રેશન જેવાં માનસિક રોગો થાય છે.
    2. સ્વભાવ ચીડિયો થવો, બેચેની થવી, ઊંઘ ના આવવી વગેરે જોવાં મળે છે.

આ મુશ્કેલીઓ ના થાય તે માટે આયુર્વેદે દર્શાવેલી આ સલાહનું અનુસરણ ઉપયોગી બની રહેશે:

દિનચર્યા સંબંધી સૂચનો

  • શરીરમાં વાયુ વધતો અટકાવવા માટે નાઈટ શિફ્ટથી ઘરે આવ્યા પછી સૌથી પહેલાં ગરમા ગરમ તેલ થી શરીરે માલીશ કરવી અને ગરમ પાણી થી સ્નાન કરી ખાલી પેટ સુઈ જવું.
  • સુતા પહેલાં કાનમાં નવસેકા તેલનું કર્ણ પુરણ કરવું અને માથામાં તેલ નાખવું.
  • શિફ્ટ ડ્યુટી નાં સમય મુજબ આખા અઠવાડિયામાં આપનાં ભોજન, ઊંઘ અને વ્યાયામના સમયનું પ્લાનીગ બનાવી તેને ખુબ જ પ્રામાણીકતાથી અનુસરણ કરવું. જેમકે નાઈટ શિફ્ટ પછી ક્યારે અને કેટલું દિવસે સુવું, ક્યારે ભોજન લેવું અને ક્યારે વ્યાયામ કરવો. આ કરવાથી શરીરને એક નિયમિતતાની આદત પડશે.

આહાર સંબંધી સૂચનો

  • રાત જાગીને આવ્યા પછી ભર પેટ જમીને ક્યારેય સુવું નહિ. શક્ય હોય તો જમ્યા વગર જ સુઈ જવાની આદત પાડવી, કેમકે જમીને ઊંઘ લેવાથી ત્રિદોષ પ્રકોપ થાય છે અને પાચનશક્તિ ખુબ જ બગાડે છે. જો વધારે ભૂખ લાગી હોય તો મોળી છાશ, ફળ વગેરે લેવું પણ અનાજ કે નાસ્તો તો ન જ કરવો.
  • ઉજાગરા વધારે થતાં હોય તો મગ સિવાયના કઠોળ નો ખોરાકમાં ઉપયોગ ઓછો કરવો. કઠોળ વધારે લેવાથી શરીરમાં વાયુ વધે છે.
  • દેશી ગાયનું ઘી મગજનાં જ્ઞાનતંતુઓ ને પોષણ આપે છે તેથી તેનું સપ્રમાણ સેવન કરવું. આથી ઉજાગરાને કારણે થતાં મગજનાં ઘસારાની અસર ઓછી રહે છે.

નિદ્રા સંબંધી સૂચનો

  • ઘણાં લોકો નાઈટ શિફ્ટ કર્યા પછી દિવસે બે ત્રણ કટકે ઊંઘ લે છે. એના કરતાં એક વખત માં જ સળંગ ૬ – ૭  કલાક એકસાથે ઊંઘ લઇ લેવી વધારે સારી.

સારાંશ:

નાઈટ શિફ્ટ ને કારણે થતું રાત્રી જાગરણથી શરીરમાં વાત દોષ વધે, અગ્નિ મંદ થાય અને લાંબા ગાળે ત્રિદોષ પ્રકોપ થઇ કેન્સર થી લઈને ડાયાબિટીસ જેવાં ગંભીર શારીરિક અને માનસિક રોગો થાય છે. આ માટે નિયમિત માલીશ કરવી, દિવસે જમ્યા પહેલાં જ પુરતી સળંગ ઊંઘ લઇ લેવી તેમ જ નિયમિત વ્યાયામ, યોગ અને પ્રાણાયામ કરવાં. વૈદ્યની સલાહ અનુસાર માત્રા બસ્તિ લેવાથી બધી જ સમસ્યા દૂર થાય છે.

Read More

Abhyanga : Real Method Of Doing Ayurvedic Massage as Described in Charak Samhita

ચરક મહારાજે બતાવી  શ્રેષ્ઠ માલીશ પદ્ધતિ જેમાં વિશ્વની દરેક મસાજ થેરાપી સમાઈ જાય છે

શરીર પર કોઈ પણ સ્નેહ એટલે કે તેલ અથવા ઘી ની માલીશ કરવાની પ્રક્રિયાને અભ્યંગ કહેવાય છે. માલીશ કરવાં માટેની અનેક પદ્ધતિઓ વિશ્વમાં પ્રચલિત છે જેવી કે થાઈ મસાજ, સ્વીડીશ મસાજ, ચાઇનીઝ મસાજ, એક્યુપ્રેશર મસાજ, કેરાલિયન ફૂટ મસાજ વગેરે. મસાજ ની આ પદ્ધતિઓ ખરેખર હજારો વર્ષો પૂર્વે આયુર્વેદનાં મહર્ષિ ચરકે કહેલી ત્રણ સ્ટેપની વિધિ નો વિસ્તાર માત્ર છે.

માલીશ કઈ રીતે કરવી તેની રીત ચરક મહર્ષિએ ખુબ જ સુંદર ઉદાહરણ દ્વારા સમજાવી છે.

તેમણે ત્રણ ઉદાહરણો દ્વારા માલીશ ની રીત સમજાવી છે:

 

1. સ્નેહ થી કુંભાર જેમ ઘડા ને લીપે તેમ (આખા શરીરે તેલ નો લેપ કરવો)

પહેલાનાં સમયમાં કુંભાર ઘડા પર તેલ નો લેપ કરતાં આથી ઘડા ખુબ જ ટકાઉ અને મજબુત બનતાં. તે જ રીતે પ્રથમ વ્યક્તિએ પુરા શરીર પર ગરમ નવસેકા તેલ નો લેપ કરવો. એટલે કે તેલ પુરા શરીર પર લગાડી દેવું. તેલ ક્રમશઃ ઉપર થી નીચે એટલે માથાથી પગ તરફ લેપ કરતાં હોઈએ તે રીતે લગાડતાં જવું.

 

2. ચમાર જેમ ચામડા ઉપર તેલને  ખુબ જ ઘસીને તેને તેલ પીવડાવે તેમ (મર્દન કરીને તેલ ને ઉંડે ઉતારવું)

ચામડાને મજબુત કરવાં માટે તેના પર ખુબ જ તેલ ઘસવામાં આવે છે. આથી ધીરે ધીરે તેમાં તેલ ઉતરતું જાય છે અને ચામડાની મજબુતી વધે છે. તે જ રીતે તેલ લેપન કર્યા પછી શરીર પર તેલ ખુબ ચોળવું એટલે કે ઘસીને મર્દન કરવાનું હોય છે. તેનાથી તેલ ચામડીના અંદર પહોંચી શરીરનાં અંદર પોતાની અસર બતાવે છે. કહેવાની આવશ્યકતા નથી કે મર્દન જેટલું સારું તેટલો વધુ લાભ.

 

3. વાહનોમાં પેડા ની ધારીમાં જેમ તેલ પુરાય તેમ (સાંધા, કાન, નાભિ સ્થાનો વગેરે માં તેલ પુરવું)

પૈડાની ધારીમાં જેમ તેલ પુરાવાથી તે મજબુત બને છે અને સરળતાથી વાહન દોડી શકે છે તે જ રીતે શરીરનાં પણ કેટલાક અંગો એવાં છે જેમાં તેલ પુરાવાની જરૂર પડે છે. દરેક સાંધામાં સારી રીતે તેલ લગાવવું જોઈએ. નાક, કાન, નાભિ આવા અંગોમાં તેલનાં ૩- 4 ટીપાં નાખવાથી શરીરરૂપી વાહન લાંબો સમય સુધી સારી રીતે દોડતું રહી શકે છે.

 

સારાંશ:

નવસેકા તેલ નું આખા શરીરમાં લેપન કરવું, ત્યાર બાદ ખુબ જ ઘસીને (મર્દન) તેલ ઉતરવું અને પછી કાન,નાક, નાભિ વગેરે અંગોમાં તેલ પુરવું (પુરણ). આમ લેપન, મર્દન અને પુરણ આ માલીશ નાં ત્રણ અગત્યનાં સ્ટેપ કરવાથી જ શરીર નાં બધાં અંગો સુધી માલીશ ની અસર પહોંચાડી શકાય છે.

Read More

How to increase vitamin D naturally by Ayurveda

विटामिन डी की कमी को दूर करने का सरल आयुर्वेदिक उपाय

What is Vitamin D and its Importance in Bone Health?

हमारी हड्डियों  में कैल्शियम की आपूर्ति  सही रूप से करने के लीए विटामिन डी अति आवश्यक है | हम जो आहार लेते है उसमें से कैल्शियम , फोस्फरस आदि मिनरल्स को आंत में से अवशोषण कर उसे हड्डियों तक पहोचाने के लीए विटामिन डी जरूरी है। जिस से हड्डियों की घनता (Bone Mineral Density) बनी रहती है।

Importance of Vitamin D in Health maintenance?

अनेक रोगो की रोकथाम और चिकित्सा के लीए भी विटामिन डी की महत्वपूर्ण भूमिका है। जैसे की डायबिटीस, हाय ब्लड प्रेशर , मल्टीपल स्केलेरोसिस , ह्रदय रोग, केन्सर ।

Vitamin D Deficiency :

अगर शरीरमें विटामिन डी की कमी होती है तो जोड़ों और मांसपेशीयों में दर्द, बालो का झड़ना, थकान, हड्डियों की कमजोरी , ओस्टीओपोरोसिस आदि लक्षण दिखाई देते है। साथ ही उस से वृद्धों में यादाश्त कम होना ,केन्सर आदि रोगों का खतरा रहता है।  यहाँ तक की इससे बच्चों में अस्थमा जैसी गंभीर बिमारी होने का भय बना रहता है।

How Ayurveda Helps in Vitamin D deficiency;

वर्तमान समय में विटामिन डी की कमी के किस्से बढ़ाते जा रहे है। लोगो को धूप में बैठने और सप्लीमेंट्स चालु रखने की सलाह दी जाती है। ये सब करने पर भी जब सप्प्लीमेंट्स बंध करते है तो थोड़े महीनों में इसकी फिर से कमी होना शुरू हो जाती है। कई बार तो रोगी भी टेबलेट्स लेते लेते परेशान हो जाते है।

यहाँ पर आयुर्वेद के मूलभूत सिद्धांत से चिकित्सा करने पर उत्तम परिणाम मील रहे है। आयुर्वेद में महर्षि वाग्भट्ट बताते है

“तत्र अस्थि स्थितो वायु:” —-  अष्टाङ्ग हृदय सू . 11/ 26

अर्थात अस्थि धातु याने हड्डियों की कमजोरी तभी होगी जब उसमें वात दोष बढ़ेगा। और उसको दूर करने के लीए तिक्त घृत का प्रयोग करना चाहिए।

हमने यही तिक्त घृत को पुरी शास्त्रीय विधि से देशी गाय के घी का उपयोग करके बनाया।साथ ही यह तिक्त घृत देने से पहले रुग्णों की जठराग्नि और मेद धात्वाग्नि को ठीक किया। क्युँकि जब तक अग्नि ठीक नहीं होता तब तक घृत का पाचन नहीं होगा और हमें निश्चित लाभ नहीं मिलेगा। इसके २ महीने लगातार प्रयोग से विटामिन डी की कमी स्थायी रूप से दूर हुई।

Read More

Suffering from Skin Problem; Follow these simple Ayurveda tips during this spring

ચામડી ના રોગો માટે અપનાવો એટલા સરળ આયુર્વેદિક ઉપાયો

ચામડીનાં રોગીની વાસંતિક ચર્યા જોઈએ તો તેમાં અલૂણાનું ખાસ મહત્વ છે. તેથી ચૈત્ર મહિનામાં નમક લેવાનો અને લીમડાનાં કૂમળા ફૂલ અને પાન તેમજ છાલનો ઉકાળો પીવાનો રિવાજ છે. રીતે ચામડીનાં દર્દીએ વસંત શરૂ થતાં ખોરાકમાં નમક લેવું. સાથે નહાવા માટે કેસુડાંનાં ફૂલ અને લીમડાનાં પાનથી ઉકાળેલા પાણીનો ઉપયોગ કરવો. લીંબોડીનાં તેલથી શરીરે માલીશ કરવી પરંતુ જો ચામડીમાંથી પચપચા પાણી જેવો સ્ત્રાવ થતો હોય તો તેને સૂકી રાખવી અને જો વધુ સૂકી થઈને પોપડીઓ ખરતી હોય તો તેલ માલીશ કરવી.

લીમડાનાં કૂમળા પાનનો રસ પી ઊલટી કરવી. હરડે, નસોતર, કડું, કરિયાતુ વગેરેનો વૈદ્ય સલાહ અનુસાર એવો અને એટલા પ્રમાણમાં પ્રયોગ કરવો કે સવારમાં વખત સારી રીતે પેટ સાફ થાય. નાગરમોથ, ધાણા વગેરેથી ઉપર બતાવેલી રીતે સિદ્ધ જલનો પ્રયોગ કરવો. ચામડીનાં રોગીઓમાં માનસિક ચિંતા અને વ્યગ્રતા, ભય વગેરેનું પ્રમાણ પણ જોવા મળે છે. જેનાથી રોગ વધી જાય છે. આથી મનને પ્રફુલ્લિત રાખવું અને ઊંડા શ્વાસપ્રશ્વાસની ક્રિયા (ડીપ બ્રિધિંગ એન્ડ બ્રિથ વોચિંગ) વગેરે ઉપાયો કરી મનને વ્યગ્રતાની લાગણીઓ અને આવેશથી મુક્ત રાખવું.

આમ ઉપરની ઋતુચર્યા માત્ર કફ વધવાથી થતાં ચામડીનાં રોગીઓ જો અનૂસરે તો તેમનાં શરીરમાં કફનું સમપ્રમાણ થાય છે અને આખું વર્ષ સ્વસ્થ રીતે પસાર થાય છે પરંતુ ઉપરનું અનુસરણ કરતાં પહેલા રોગની અને રોગીની પ્રકૃતિ અને બળ ખાસ જાણી લેવાં અને તે મુજબ ઘટતાં ફેરફાર કરવા જોઈએ.

Read More

Suffering from Asthma: Follow these simple Ayurveda tips during this spring

શ્વાસ ના રોગ ને કાબૂ માં લેવા અપનાવો આ સરળ આયુર્વેદિક ઉપાય

શ્વાસનાં રોગીએ ઋતુમાં જો એક ખાસ પ્રકારનાં આહારવિહારનું પાલન કરે તો તેમનાં રોગ માટે જવાબદાર કફદોષનું પ્રમાણ શરીરમાંથી ઘટે છે. તેમને આહારમાં માત્ર મગનું શાક કે દાળ અને ઓસવેલા ગરમ તાજા ભાત, શેકેલા ઘઉંની થુલી, ચોખાની કણકી, આદુ, સરગવો, લસણ, અજમો, તુલસી વગેરેનું સેવન કરવું. સાથે ઠંડું, વાસી, ઝીણાં લોટની બનાવટ (રોટલી, ખાખરા, પરોઠા), દૂધ, દૂધની મીઠાઈ, દહીં, કેળા, મેંદો, તલ, અડદ, આથાવાળા વગેરે પદાર્થો લેવાં.

સવારમાં વહેલા હળવો વ્યાયામ, ચાલવું, વધુ શ્રમ પડે તેવાં અનુલોમવિલોમ જેવા સરળ પ્રાણાયમ વગેરે કરવા. એમાંથી પણ શ્વાસનાં રોગીએ ખાસ વસંત શરૂ થતાં છાતીમાં જામેલો કફ છૂટો પાડવા તલનાં તેલમાં સૈધવનમક નાખીને ગરમ કરી છાતી અને પડખામાં માલીશ કરવી તેમજ તેની ઉપર હ્યદય સિવાયનાં ભાગમાં સેક કરવો. ક્રિયા સરળ છતાં એટલી અસરકારક છે કે તેનાથી સ્વાસ માટે લેવામાં આવતાં પંપ પણ ધીમે ધીમે ઓછા થાય છે.

ઋતુમાં અઠવાડિયામાં એકવાર નમકનાં ગરમ પાણીથી ઉલટી કરવાથી વધારાનો કફ બહાર નીકળે છે. ઉપરાંત દરરોજ નાકમાં તલનાં તેલને ગરમ કરી નવસેકા ટીપાં નાખવા. શ્વાસનાં રોગી જો રાતનું ભોજન લે અને માત્ર સવારે અને બપોરે ઉપર સૂચવેલો આહાર લે તો તેને રાત્રે આવતાં હુમલાથી રક્ષણ મળે છે.

સુંઠ એક ભાગ અને પાણી સોળ ભાગ લઈ ઉકાળીને અડધો ભાગ પાણી બાળી આખો દિવસ સિદ્ધ જલ નો પ્રયોગ કરવો. ધૂળ, ધૂમાડા, રજકણો, ઠંડીથી સતત બચવું. સવારે અને સાંજે ભૂખ્યા અને હળવું પેટ હોય ત્યારે હળવી કસરત, ચાલવું અને હળવી શ્વાસોચ્છવાસની કસરત, અનુલોમવિલોમ પ્રાણાયમ કરવા. કબજીયાત થવા દેવી અને જેમને કાયમ કબજીયાત અને પેટમાં વાયુની ફરિયાદ રહેતી હોય તેમને હરડે, સુંઠ, હિંગ, કડુ વગેરેનો વૈધની સલાહ મુજબ પ્રયોગ કરવો કેમકે શ્વાસનો રોગ પાચનની નબળાઈ, ગેસ અને કબજીયાતથી વધી જાય છે.

Read More

શું આપ ઋતુ બદલે ત્યારે બીમાર પડી જાઓ છો? અપનાવો આ સરળ જીવન શૈલી

શું આપ ઋતુ બદલે ત્યારે બીમાર પડી જાઓ છો? અપનાવો આ સરળ જીવન શૈલી

ભારતમાં વર્ષ દરમિયાન અનુભવાતી પ્રત્યેક ઋતુમાં સૂર્યપ્રકાશ, ઠંડી, ગરમી, હવા, ભેજ, દિવસ-રાતની લંબાઈ વગેરેનું પ્રમાણ જુદું જુદું જોવા મળે છે. આ પ્રમાણે પ્રત્યેક ઋતુની અલગ-અલગ અસર માનવશરીર પર પડે છે. હવે જો પ્રત્યેક ઋતુમાં આપણું વર્તન એવું હોય કે જે શરીરમાં થતાં આ ઋતુજન્ય પરિવર્તન દરમિયાન તેને બહારનાં વાતાવરણ સાથે પોતાનું સામંજસ્ય સ્થાપિત કરવામાં મદદરૂપ થાય તો ઋતુજન્ય ફેરફારોથી સ્વાસ્થ્યની રક્ષા કરી શકાય. આયુર્વેદનાં મહર્ષિઓએ પ્રકૃતિના પરિવર્તનો તથા તેની શરીર પર થતી અસરનાં અત્યંત સૂક્ષ્મ અભ્યાસ દ્વારા એક સંપૂર્ણ વૈજ્ઞાનિક વ્યવહારશૈલીનું નિર્માણ કર્યું જેને ઋતુચર્યા કહેવાય છે.

આમ ઋતુચર્યા એટલે ઋતુપરિવર્તન અનુસાર દૈનિક વ્યવહાર, ખાન પણ વગેરેમાં આગવું સ્વસ્થ્યદાયક પરિવર્તન. ઉપરાંત પ્રત્યેક ઋતુ અનુસાર શરીરનાં વાયુ, પિત્ત અને કફ દોષોનાં પ્રમાણમાં વધ-ઘટ થાય છે અને તેને લીધે અમુક ઋતુમાં અમુક રોગો વધેલા કે ઘટેલા જોવા મળે છે. જેમ કે શિયાળામાં લોકો દ્વારા વધુ પ્રમાણમાં પૌષ્ટિક અને ચીકણા, ભારે ખાદ્યપદાર્થો જેવા કે અડદીયા, શેરડી, ગોળ, તલ વિવિધ પાક વગેરેનું સેવન થતાં તેમનાં શરીરમાં કફદોષનું પ્રમાણે વધે છે. આથી આ ઋતુ અને તેનાં પછી આવતી વસંતઋતુમાં કફને કારણે થતાં શ્વાસ અને ચામડીનાં રોગો વધુ પ્રમાણમાં જોવા મળે છે.

વસંત પંચમી નાં તહેવાર સમયે વસંત ઋતુ ની શરુઆત થાય છે. તેની સવાર શિયાળાની ગુલાબી ઠંડી જેવી અને બપોર ઉનાળાનાં આકરા તાપ જેવી હોય છે. આ ઋતુસંધિ એટલે કે શિયાળા અને ઉનાળાને જોડતી વસંત ઠંડી અને ગરમીનું એવું મિશ્રણ સર્જે છે કે તેનાથી શરીરમાં શિયાળા દરમિયાન જમા થયેલો કફ દ્રવીભૂત થઈ પીગળે છે. સાથે સાથે ઠંડી પણ હોવાથી આ કફ પૂરે પૂરો શોષાઈ જતો નથી પણ પોતાના દ્રવ સ્વરૂપથી આખાય શરીરમાં જુદા જુદા રોગો કરે છે.

આમ વસંતએ કફદોષનાં દ્રવત્વગુણને લીધે શરીરમાં પાચનશક્તિ નબળી બનાવી એટલે કે અગ્નિ મંદ કરે છે તેથી મરડો, ભૂખ ન લાગવી, ગળા અને છાતીમાં કફ ભરેલો લાગવો, આળસ, શ્વાસ, શરદી, શીળસ, ચામડીની એલર્જી, માથું ભારે થવું વગેરે કફને લગતાં લક્ષણો જોવા મળે છે. પરંતુ સાથે સાથે આ ઋતુનું જમા પાસું એ છે કે જો તેમાં આયુર્વેદીય સરળ ઉપાયોનો આશરો લઇ દ્રવીભૂત કફને કાઢી નાખવામાં આવે તો આવનાર આખા વર્ષમાં કફનાં રોગોમાં રાહત રહે છે. ખાસ કરીને ચામડી અને શ્વાસનાં દર્દીઓ જો થોડી સાવચેતીથી આયુર્વેદીય વસંતઋતુચર્યા પાળે તો તેમનાં માટે આવનારો શિયાળો હર વખતની જેમ ભયાવહ રહેતો નથી.

આયુર્વેદ મત પ્રમાણે આ ઋતુમાં દ્રવીભૂત કફને બહાર કાઢવા માટે વમન કર્મ, નસ્યકર્મ કરાવવામાં આવે છે; જે માત્ર અનુભવી વૈધની સંપૂર્ણ દેખરેખ નીચે જ કરવા જોઈએ. પરંતુ આ માટે કેટલાક સરળ ઉપાયો પણ આપેલા છે જે દરેક વ્યક્તિ વૈધની સલાહ મુજબ અને પોતાની તાસિર મુજબ ઘરમેળે કરી શકે છે. આ ઋતુમાં દરેકે સરસીયા તેલની માલીશ કરી સવારે ખૂબ જ વ્યાયામ કરવો, બપોરે સૂવું નહીં, ખોરાકમાં લૂખા, હલકા અને સામાન્ય ગરમ દ્રવ્યો લેવા. માત્ર ગરમ પાણી અથવા સૂંઠ, નાગરમોથ, ગંઠોળા વગેરે તાસિર મુજબ યોગ્ય પ્રમાણમાં નાખી ગરમ કરીને પીવું. નાહવામાં કેસૂડાંનાં ફૂલ નાખી ગરમ કરેલું પાણી વાપરવું.

આથી જ હોળી માં મકાઈની ધાણી, બાફેલા કઠોળ જેવા લુખ્ખા પદાર્થો ખાવાનો અને ગાયનાં અડાયા છાણાથી બનેલી હોળીને ફરતે રહી શેક લેવાનો રિવાજ છે. તેનાથી કફ દોષનું શરીરમાં પ્રમાણ ઘટે છે. ઉપરાંત કેસૂડાંના ફૂલવાળા પાણીથી રમાતી હોળી ચામડીને સુંવાળી બનાવી કફને લીધે થતી એલર્જીથી રક્ષણ આપે છે. આમ તહેવાર સાથે પણ સ્વાસ્થ્ય સંરક્ષણને જોડવામાં આવ્યું છે.

Read More

Just doing Shirodhara with fashion find out true Ayurvedic realities

Just doing Shirodhara with fashion find out true Ayurvedic realities

ફેશન થી કરાવો છો શિરોધારા પણ જાણો તેની સાચી આયુર્વેદીય વાસ્તવિકતાઓ

શિરોધારા નું નામ સાંભળતાં જ મોટા ભાગનાં લોકોનાં મનમાં કેરાલા ટુરીઝમ અને પંચકર્મ થેરાપી જેવાં શબ્દો  ઉપસી આવે છે. ઘણાં લોકો તો શિરોધારા ને જ પંચકર્મ માની બેઠેલાં હોય છે. પણ સાચી વાસ્તવિકતા તો એ છે કે શિરોધારા એ પંચકર્મ છે જ નહીં બલ્કિ દક્ષિણ ભારત માં પ્રચલિત માથાની માલીશ ની એક પદ્ધતિ છે. Shirodhara is an Ayurvedic Treatment. Here is everything you need to know about Shirodhara.

 

શું છે આ શિરોધારા?

What is Shirodhara Treatment?

કપાળના ભાગ માં ઔષધિ સિદ્ધ નવસેકા પ્રવાહી ની ધારા કરવી તેને શિરોધારા કહેવામાં આવે છે, તેની સંપૂર્ણ સાચી વિધિ “ધરાકલ્પ” નામનાં ગ્રંથમાં આયુર્વેદનાં મહર્ષિઓએ વર્ણવેલ છે અને તે મુજબ કરેલી શિરોધારા ખુબ જ સારાં પરિણામ આપે છે.

 

શિરોધારા કઈ રીતે કરવામાં આવે છે?

How Shirodhara is done? Shirodhara Procedure

શિરોધારા માટે ઔષધિઓનો ઉકાળો, ઔષધિયુક્ત છાશ કે દૂધ, વિવિધ જાતનાં ઔષધીય તેલનો ઉપયોગ કરવામાં આવે છે. કઈ ઔષધથી શિરોધારા કરવી એ રોગીની તાસીર અને રોગ નાં આધારે નિષ્ણાત વૈદ્ય નક્કી કરે છે. જ્યારે આજકાલ તો બ્યુટી પાર્લરમાં પણ પાણી કે કોઈ પણ તેલ થી શિરોધારા કરવામાં આવે છે, જે માથામાં તેલ રેડીને મન ને સંતોષ આપવા સિવાય બીજો કોઈ ફાયદો કરતી નથી.

 

શિરોધારાથી થતાં લાભ:

Benifits Of Shirodhara:

શિરોધારા જો રોગીના રોગ અને તેની પ્રકૃતિ તેમજ ઋતુ અનુસાર ઔષધીય તેલ-દૂધ-છાશ કે ઉકાળા ને નવસેકું ગરમ કે ઠંડું કરી કરવામાં આવે તો ઉતમ લાભ થતો જોવાં મળે છે.

  • મન ખુબ જ શાંત થાય છે
  • વિચારવાયુ દૂર થાય છે
  • એન્ઝાઈટી, ડીપ્રેશન જેવાં માનસિક રોગોમાં ફાયદો થાય છે
  • વાળ ખરાવા, ખોળો વગેરે જેવી સમસ્યાઓમાં રાહત થાય છે Shirodhra is very beneficial for various hair problems like Hair Loss, Premature Greying of hair etc
  • માથાનાં દુઃખાવા, માયગ્રેન વગેરેમાં લાભ થાય છે
  • અનિદ્રા દૂર થઈ ખુબ જ ગાઢ ઊંઘ આવે છે.
  • ટેન્શનલ હેડેક, હાય બ્લડપ્રેશર વગેરે માં રાહત અનુભવાય છે.

 

 

સારાંશ:

આજનાં ભાગ દોડ અને માનસિક તણાવથી ભરેલાં જીવન માં વૈદ્ય ની દેખરેખ નીચે કરાવેલ શિરોધારા જાણે મનની શાંતિ તરફ લઇ જતો આયુર્વેદીય રસ્તો છે. સાથે અનિદ્રા, માનસિક રોગો, વાળની સમસ્યાઓ, માથાનાં દુઃખાવા વગેરેની નિર્દોષ ચિકિત્સા છે.

Read More