क्या आप का विटामिन डी बार – बार कम हो जाता है ? जानिए क्या है आयुर्वेदिक उपाय

विटामिन डी बार बार कम होने के आयुर्वेद के अनुसार क्या कारण हो सकते है? ये जानीए:

 

Slow Digestion is one of the main cause.

 

जठराग्नि मंद होना

वर्त्तमान समय में अधिकाँश लोग पाचन की समस्या से पीड़ित है| 

  • कभी कम, कभी ज्यादा भोजन, कभी समय पर या कभी बिना समय के भोजन लेना ,
  • पहले लीए  भोजन का पूर्ण पाचन  न होने पर भी खाते रहना , 
  • अपनी प्रकृति (वायु, पित्त या कफ ) से विपरीत भोजन लेना , 
  • होटेल या रेस्तरों फास्टफ़ूड का अधिक सेवन, 
  • किसी लंबी बीमारी के कारण, 
  • मल-मूत्र की स्वाभाविक प्रवृति को रोकना 
  • किसी प्रकार का व्यायाम न करना 

 

आदि कारणों से पाचन शक्ति (जठराग्नि) कम हो जाती है | जठराग्नि मंद होने से आहार संपूर्ण रूप से पचता नहीं है पर अपक्व रहता है | ये अपक्व आहार शरीर को पोषण नहीं देता | फिर भले ही हम रोज दूध , घी, केला, ड्राय फ्रूट्स आदि पोषक आहार लें पर जठराग्नि की मंदता से शरीरमें उसका पोषण नहीं मिलता |

 

Diet & Lifestyle that produces excessive Vata Dosha is key in vitamin D deficiency. 

 

वात दोष का बढ़ना वाले आहार-विहार का सेवन

 

  • रुखा-सूखा और भारी आहार जैसे बेकरी प्रोडक्ट्स, नमकीन, राजमा, छोले, चना, मटर , आलू, फास्ट फ़ूड
  • ज्यादा मात्रामें कच्ची सब्जी या सलाद का सेवन
  • कोल्ड ड्रिंक्स या एरेटेड ड्रिंक्स सोडा वगेरा
  • फ्रीज में रखी ठंडी चीजें
  • तरबूच, खरबुचा, सुपारी आदि ठंडे फल
  • फर्मेन्टेड फ़ूड का अधिक सेवन जैसे इडली, ढोसा आदि
  • आहार मे स्नेह (गाय का घी, तिल का तेल आदि) न लेना
  • रात्री को जागना या देर तक जागना
  • पुरे दिन चिंता में या विचारो में रहना 

 

इस प्रकार बढ़ा हुआ वात दोष अस्थि धातु (Bones) को अंदर से खोखला करने लगता है। 

 

साथ ही वायु दोष बढ़ने से भी विटामिन डी कम होता है।

Read More

Is Honey + Hot Water = Toxins?? – Know Ayurveda facts

शहद + गरम पानी + नींबू : क्या वजन कम करने का सबसे प्रचलित प्रयोग हानिकारक है ? जाने वास्तविकता

मोटापा हमारे देश की एक सबसे गंभीर स्वास्थ्य समस्या बनता जा रहा है। लोग इतने परेशान है की जो भी सरल उपाय लगे अपने शरीर पर परीक्षण करना शरू कर देते है। सोशियल मीडिया पर भी मोटापा कम करने वाले कथित नुस्खों की भरमार है। आज की व्यस्त जीवनशैली में अधिकाँश लोग “डूबते को तिनके का सहारा” की तरह बिना सोचे समझे उन नुस्खों को अपनाते जा रहे है। आज ऐसे ही एक नुस्ख़े के बार में बात करेगें जो दुर्भाग्यवश बहुत प्रचलित है पर लाभ की तुलना में हानि अधिक कर रहा है।

सोशियल मीडिया पर ये घरेलु नुस्खा बहुत वायरल है की १ ग्लास गरम पानी में नींबू का रस और शहद मीलाकर प्रातः काल पीने से वजन कम होता है।  ऐसा दावा किया जाता है की ये चमत्कारी प्रयोग अनेकों बीमारियों का एक मात्रा सटीक उपाय है। हमने भी इस प्रयोग को आयुर्वेद के अनेक ग्रंथो के अभ्यास से परखने का निश्चय किया। जो तथ्य सामने आये वो आश्चर्यजनक था।

हमने पाया यह प्रयोग आयुर्वेद में बताए दो अलग अलग प्रयोगों का मिश्र रूप है जिस से हानि हो रही है। नीचे बताये संदर्भ से इन्हें समझे :

 

१  अग्निं दीपयति , वातमनुलोमयति

—–चरक सू. 26/83

 

   श्लेश्मामवातमेदोघ्नं उष्णोदकं

—–भावप्रकाश पूर्व  1/23

 

प्रातः काल गरम पानी में नींबू का रस डालकर पीने से जठराग्नि प्रदीप्त होकर पाचन सुधरता है , भूख लगती है ,गैस की समस्या दूर होती है। इसके अलावा यह मेद धातु को भी कम करके वजन घटाता है।

 

२  शिशिरान्बु पिबेन्मधुप्रयुक्तं गणनाथो अपि भवेत्किलास्थिशेष: |

— वैद्यजीवनं ⅘

 

वैद्यजीवन नामक ग्रंथ में बताया गया है की प्रातः कल ठन्डे पानी में शहद मीलाकर पीने से गणेश जी जैसा भी हड्डी शेष रह जाता है।

 

दोनों प्रयोग अपनी अपनी जगह श्रेष्ठ व परिणाम देने वाले है पर जब उनका मिश्रण कर दिया जाता है तो लाभ की तुलना  हानि अधिक देखने मिलती है जैसे :

 

१) गरम पानी के साथ मधु विरुद्ध होने के कारण नुक़सानदेह है ऐसा अभी आयुर्वेद महर्षियों का मत है। यह एक प्रकार का विषैला मिश्रण बनाता है जो धीरे धीरे slow poison की तरह हानि पहुंचाता है।

उष्णै: विरुध्यते सर्वं विषान्वयता मधु|| –सुश्रुतसंहिता सुत्रस्थान ४५/१४४

 

२ ) अत्याधिक मात्रा में नींबू का प्रयोग करने से चमड़ी पर फोड़े, फुंसी , खुजली होना, मांस एवं अस्थि शिथिल करने से जोड़ों में दर्द , घुटनों का घीसना , एसिडिटी का बढ़ाना, बालों का झड़ना आदि दुष्प्रभाव देखे जाते है। साथ ही गठीया जैसे गंभीर जोड़ों के रोग हो सकते है ऐसा चरक महर्षि बताते है।

रक्तं दूषयति, मासं विदहति, कायं शिथिलीकरोति चरक सू. 26/43

 

अगर आप भी यह प्रयोग गलत तरीके से कर रहे है तो उसे रोकें।  इस प्रयोग करने का सही तरीका, किस प्रकार की प्रकृति या तासीर में कौन सा प्रयोग उपयुक्त है ये हम आगे बताएंगे।

Read More

Feeling Shame due to body odour? Try this simple Ayurveda remedy

 શું આપ પસીના ની વાસ થી ખુબ શરમજનક સ્થિતિમાં મૂકાવ છો? તો ઉદ્વાર્ત્ન થી કરો દૂર

 

પરસેવાનું વધુ પ્રમાણ અને તેની ભયંકર વાસને કારણે લોકો જાહેરમાં શરમ અને લઘુતાગ્રંથિ અનુભવે છે. આ સમસ્યાનું મૂળ કારણ ઠીક કર્યા વગર માત્ર બહારથી લગાડેલાં પરફ્યુમ્સ કે ડિઓડરન્ટ્સ થોડીવાર માટે જ અસરકારક રહે છે.

સ્વેદ એ શરીરનો એક પ્રકારનો મળ ભાગ છે જે લોહી અને ચરબી ની અશુદ્ધિને શરીરમાંથી બહાર કાઢે છે. શરીરનાં શુદ્ધિકરણ અને ચામડી ની ચીકાશ ને જાળવી રાખવા માટે પરસેવાનું યોગ્ય પ્રામાણમાં નીકળવું જરૂરી છે.

 

પરસેવો વધુ પડતો અને અતિ દુર્ગંધ યુક્ત હોવાનાં કારણો:

  1. શરીરમાં ચરબી નું વધુ પડતું પ્રામાણ (मेद दुष्टि)
  2. શરીરમાં લોહી ની અશુદ્ધિ ( शोणित प्रदोष)

ખાસ કરીને મેદસ્વી લોકોનાં શરીરમાં વધુ પડતાં મેદને કારણે ખુબ જ પરસેવો નીકળ્યા કરે છે. મેદસ્વી લોકો જ્યારે વધુ પડતું વાસી, તળેલું, આથાવાળું અને જંકફૂડ આરોગે છે ત્યારે તેમની ચરબી અને લોહી માં એક પ્રકારની અશુદ્ધિ થાય છે જેને કારણે તેમનાં પરસેવા માંથી ખુબ જ દુર્ગંધ આવે છે.

આ જ રીતે મેદસ્વી ન હોય તેવાં લોકોમાં પણ લોહીનો બગાડ થવાથી પરસેવાની સમસ્યા જોવાં મળે છે. આથાવાળી વસ્તુઓ, બેકરીની વસ્તુઓ, જંકફૂડ, વાસી, તળેલું, અતિ મસાલેદાર ખોરાક, માંસાહાર, અથાણાં, ગોળ, ડુંગળી, દારૂ, નમક, અડદ, સળેલો-દુર્ગંધિત આહાર, વિરુદ્ધ આહાર વગેરેના વધારે પડતાં સેવન થી લોહીનો બગાડ (રક્ત દુષ્ટિ) થાય છે. આ ઉપરાંત કબજીયાત ની ફરિયાદ પણ પરસેવાની સમસ્યાને વધારી દે છે.

આથી પરસેવાની સમસ્યા દૂર કરવા તેનાં કારણોથી દૂર રહેવું જોઈએ. ખાસ કરીને ઘરનો બનેલો તાજો, પોષ્ટિક, સાત્વિક અને શુદ્ધ આહાર લેવો. નિયમિત વ્યાયામ અને યોગ કરી મેદને ઘટાડવું. કબજીયાત ન રહે તે માટે ત્રિફળાચૂર્ણ, હરિતકી ચૂર્ણ, ત્રિફલા ગુગળ વગેરે વૈદ્યની સલાહ અનુસાર લેવું. પરસેવાની સમસ્યામાં ઉદ્વર્તન પ્રયોગ ખુબ જ લાભદાયી છે.

 

ઉદ્વર્તન શું છે?

સામાન્ય ભાષામાં ઉબટન તરીકે ઓળખાતો આ પ્રયોગ ખરેખર એક આયુર્વેદીય સારવાર પ્રક્રિયા જ છે. ઉદ્વર્તન એટલે શરીરને સુકા કરનારા ઔષધો માંથી કોઈ પણ ઔષધોનો કરકરો પાઉડર બનાવી સ્નાન કરતાં પહેલાં તેને શરીર પર ચોળવું.

 

ક્યારે કરવું?

સવારે અથવા સાંજે સ્નાન કરતાં પહેલાં

 

ક્યાં ઔષધથી કરવું?

ત્રિફલા, આમળા, ઘોડાવજ, બાજરી, જવ, ચણા વગેરેનાં કરકરા પાઉડરનો વૈદ્ય ની સલાહ અનુસાર ઉપયોગ કરી શકાય છે.

 

કઈ રીતે કરવું?

રુંવાટીથી અવળી કે ઉલટી દિશામાં ચામડી પર પાઉડરને ચોળીને ઘસવું.

 

કેટલી વાર સુધી કરવું?

આખા શરીરમાં કરવાં માટે લગભગ ૨૦ થી ૪૫ મિનીટ સમય લાગે. દિવસમાં એક વખત કરવું.

 

કેટલાં દિવસ કરી શકાય?

ચામડીમાં દેખીતી રીતે સુકાપણું ન આવે ત્યાં સુધી અથવા તો વૈદ્યની સલાહ અનુસાર.

 

કયા રોગો માં ના કરવું?

દુબળા શરીરવાળા, સુકી ચામડી હોય તેવાં વાત પ્રકૃતિનાં રોગીઓમાં ના કરવું.

 

શું લાભ થાય?

  • ત્વચાનાં છિદ્રો ખુલી ત્વચા સ્વચ્છ બને.
  • સ્વેદ ગ્રંથિઓ નિર્મળ બને અને પરસેવો નું પ્રમાણ યોગ્ય થાય
  • શરીરમાં ચરબી ઘટે અને મેદ વિકારો ઓછા થાય
  • રક્ત શુદ્ધિકરણ થવાથી ચામડીનાં રોગો મટે
  • બ્લડ સુગર ઘટે
  • ચામડીની ચીકાશ અને દુર્ગંધ ઘટે

 

સારાંશ:

ચરબી અને રક્ત ની દુષ્ટિને કારણે થતી પરસેવાની સમસ્યામાં આયુર્વેદીય ઔષધો દ્વારા કરવામાં આવતી ઉદ્વર્તનની પ્રક્રિયા ખુબ જ લાભ આપે છે. વજન અને બ્લડ સુગર લેવલ ઘટાડવામાં ખુબ જ ઉપયોગી છે.

Read More

Is Honey safe for Diabetic Patients? Know Ayurveda Fact

ડાયાબીટીસ નાં રોગીઓ પણ લઇ શકે છે મધ; જાણો ડાયાબીટીસ માં મધ લેવાથી થતાં ફાયદા

   આયુર્વેદમાં 20 પ્રકારનાં પ્રમેહનો ઉલ્લેખ છે જેમાં મોટેભાગે હાલનાં ડાયાબીટીસ તરીકે કહેવાતાં રોગનાં લક્ષણોનો સમાવેશ થઇ જાય છે. ડાયાબીટીસના દર્દીઓને દરેક પ્રકારનું ગળપણ ખાવામાં ખુબ જ સાવધાની રાખવાની જરૂર હોય છે. બધાં જ ગળપણ ની જેમ મધ લેવામાં પણ ડાયાબીટીસ નાં દર્દીઓ ભય અનુભવતા હોય છે. પણ જો થોડી આયુર્વેદીય સૂચનોને ધ્યાન રાખવામાં આવે તો મધ લેવું ડાયાબીટીસ માં ફાયદારૂપ થઈ શકે છે.

  આયુર્વેદ અનુસાર જુનું મધ મધુમેહ માં ફાયદા રૂપ છે. જો મધુમેહ રોગમાં પાચનશક્તિ (જઠરાગ્ની) ની જાળવણી સાથે થોડા પ્રમાણમાં મધ લેવામાં તો તેનાથી સુગર કંટ્રોલ કરવામાં મદદ મળે છે.  તેમજ રોગીની વારંવાર ગળપણ લેવાની ઈચ્છા પણ સંતોષાય છે. આ સાથે જ ડાયાબીટીસ નાં કારણે શરીરમાં થતી સમસ્યાઓમાં સુધાર થતો જોવાં મળે છે. ડાયાબીટીસના રોગીમાં લાંબા ગાળે શરીરનાં વિવિધ અગત્યનાં અંગો કિડની, આંખ, જ્ઞાનતંતુઓ વગેરેની કાર્યક્ષમતા ઘટે છે.

  આયુર્વેદમાં મધ ને ઉત્તમ રસાયન કહેલું છે, જેનો નિત્ય પ્રયોગ શરીરનાં દરેક અંગોની કાર્યક્ષમતામાં અનેક ગણો વધારો કરે છે. મધ આંખ, મગજનાં કોષો, કીડાની, લીવર, હૃદય વગેરે માટે ઉત્તમ ટોનિક છે. આમ જો ડાયાબિટીસના દર્દી મધ નો ઉપયોગ રોજિંદા વપરાશમાં કરે તો તેના આ અંગો વધુ કાર્યક્ષમ બને છે અને તેમાં ખામીઓ સર્જાતી નથી. આયુર્વેદનાં ઋષિઓએ કહેલી આ વાતને હવે અમેરિકન લાયબ્રેરી ઓફ મેડિસિન નાં શોધપત્રમાં પ્રમાણિત કરવામાં આવી છે.

કઈ રીતે કરશો મધ નો પ્રયોગ:

આહાર માં:

  • જ્યાં મધ ની મીઠાશ ભળી શકતી હોય તેવા આહાર માં મધ નો ઉપયોગ કરી શકાય છે. જેમાં કે છાશ કે દૂધ માં થોડું મધ ઉમેરી ને લઇ શકાય છે.
  • રોજ જવ ની રોટલી કે ભાખરી પર મધ લગાવી ને ખાઈ શકાય છે.
  • મધ અને લીબું નું શરબત બનાવી ને લઇ શકાય છે.
  • આમળાના રસમાં મધ ઉમેરીને લઇ શકાય.

ઔષધમાં:

  • ગળો નો ઉકાળો બનાવી તેમાં મધ ઉમેરીને લેવાથી ખૂબ જ લાભ રહે છે.
  • આમળા અને હળદરનું ચૂર્ણ સમાન ભાગે લઇ તેમાં મધ મેળવી સવારે નરણા ચાટવાથી ડાયાબીટીસ માં રોગ પ્રતિકારક શક્તિ વધે છે.
  • આદુના રસ સાથે મધ લેવાથી પાચનશક્તિ શક્તિમાં સુધારો થાય છે.

 

સારાંશ: “મધ નો પ્રયોગ આયુર્વેદીય સૂચનો અનુસાર કરવાથી ડાયાબીટીસ નાં કારણે શરીરમાં થતાં નુકસાન અટકે છે અને રોગીનાં સ્વાસ્થ્યમાં સુધારો જોવાં મળે છે.”

Read More

Are You Doing Night Shift? Read This for Maintaining better health

જો આપને નાઈટ શિફ્ટ ને કારણે ઉજાગરા કરવા પડે છે તો આ લેખ છે તમારા માટે ખાસ જરૂરી

વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO) મુજબ લાંબા સમય માટે થતાં ઉજાગરા અને રાત્રે કામ કરવું તેમજ દિવસે સુવાની વિપરિત ટેવ ને કારણે શરીરમાં ડાયાબીટીસ થી લઈને કેન્સર સુધીનાં રોગો થાય છે. પાચનતંત્ર ની સમસ્યાઓ, હૃદયરોગ, માનસિક રોગો, અલ્સર વગેરે અનેક સમસ્યા અનિયમિત ઊંઘ લેવાથી થાય છે.

આયુર્વેદ પણ સ્વાસ્થ્ય જાળવી રાખવા માટે પુરતી ઊંઘને ખુબ જ મહત્વ આપે છે. ભગવાન ચરક તો આહાર, નિદ્રા અને બ્રહ્મચર્ય ને સ્વાસ્થ્યના ત્રણ સ્થંભ કહ્યા છે. રાત્રે સ્વાભાવિક રૂપથી આવતી નિદ્રાને ચરક મહારાજે ભૂતધાત્રી એટલેકે શરીરને ધારણ કરનારી કહી છે. આ ઊંઘ યોગ્ય પ્રમાણમાં લેવાથી શરીરમાં અગ્નિ, બળ, સુખ અને આરોગ્ય વધે છે. આ સિવાય અન્ય કોઈ પણ સમયે લીધેલી નિદ્રા રોગને ઉત્પન્ન કરનારી છે.

રાત્રી જાગવાથી અને દિવસે સુવાની દિનચર્યા થી શરીરમાં નીચેનાં ફેરફાર થાય છે:

  1. વાત દોષ ખુબ જ વધે છે જેથી;
    1. થાક લાગે છે અને સ્ફૂર્તિ તેમ જ ઉત્સાહ ઘટે છે.
    2. ચામડી સુકી થઇ જાય છે.
    3. ગાઢ ઊંઘ આવતી નથી.
    4. સાંધા અને સ્નાયુઓમાં વા અને ઘસારો નો રોગ થવાની સંભાવના વધી જાય છે.
  2. અગ્નિ મંદ થાય છે જેથી;
    1. કબજીયાત થાય છે.
    2. અપચો, એસીડીટી, ગેસ, માથાનો દુઃખાવો વગેરે થાય છે.
    3. શરીરને પુરતું પોષણ ન મળવાથી વિટામીન, કેલ્શિયમ, લોહીની ખામી થાય છે.
  3. ત્રિદોષ પ્રકોપ થાય છે જેથી;
    1. ડાયાબીટીસ, હાઈ બીપી, કોલેસ્ટેરોલની સમસ્યા, હૃદય રોગ, મોટાપો થાય છે.
    2. શરીરમાં વિષ તત્ત્વોને બહાર કાઢવાની પ્રક્રિયા ધીમી પડે છે આથી કેન્સર જેવાં રોગો થઇ શકે છે.
    3. હોર્મોન્સ નું સંતુલન બગાડે છે.
  4. મન અશાંત થાય છે અને તમોગુણ વધે છે.
    1. ડીપ્રેશન જેવાં માનસિક રોગો થાય છે.
    2. સ્વભાવ ચીડિયો થવો, બેચેની થવી, ઊંઘ ના આવવી વગેરે જોવાં મળે છે.

આ મુશ્કેલીઓ ના થાય તે માટે આયુર્વેદે દર્શાવેલી આ સલાહનું અનુસરણ ઉપયોગી બની રહેશે:

દિનચર્યા સંબંધી સૂચનો

  • શરીરમાં વાયુ વધતો અટકાવવા માટે નાઈટ શિફ્ટથી ઘરે આવ્યા પછી સૌથી પહેલાં ગરમા ગરમ તેલ થી શરીરે માલીશ કરવી અને ગરમ પાણી થી સ્નાન કરી ખાલી પેટ સુઈ જવું.
  • સુતા પહેલાં કાનમાં નવસેકા તેલનું કર્ણ પુરણ કરવું અને માથામાં તેલ નાખવું.
  • શિફ્ટ ડ્યુટી નાં સમય મુજબ આખા અઠવાડિયામાં આપનાં ભોજન, ઊંઘ અને વ્યાયામના સમયનું પ્લાનીગ બનાવી તેને ખુબ જ પ્રામાણીકતાથી અનુસરણ કરવું. જેમકે નાઈટ શિફ્ટ પછી ક્યારે અને કેટલું દિવસે સુવું, ક્યારે ભોજન લેવું અને ક્યારે વ્યાયામ કરવો. આ કરવાથી શરીરને એક નિયમિતતાની આદત પડશે.

આહાર સંબંધી સૂચનો

  • રાત જાગીને આવ્યા પછી ભર પેટ જમીને ક્યારેય સુવું નહિ. શક્ય હોય તો જમ્યા વગર જ સુઈ જવાની આદત પાડવી, કેમકે જમીને ઊંઘ લેવાથી ત્રિદોષ પ્રકોપ થાય છે અને પાચનશક્તિ ખુબ જ બગાડે છે. જો વધારે ભૂખ લાગી હોય તો મોળી છાશ, ફળ વગેરે લેવું પણ અનાજ કે નાસ્તો તો ન જ કરવો.
  • ઉજાગરા વધારે થતાં હોય તો મગ સિવાયના કઠોળ નો ખોરાકમાં ઉપયોગ ઓછો કરવો. કઠોળ વધારે લેવાથી શરીરમાં વાયુ વધે છે.
  • દેશી ગાયનું ઘી મગજનાં જ્ઞાનતંતુઓ ને પોષણ આપે છે તેથી તેનું સપ્રમાણ સેવન કરવું. આથી ઉજાગરાને કારણે થતાં મગજનાં ઘસારાની અસર ઓછી રહે છે.

નિદ્રા સંબંધી સૂચનો

  • ઘણાં લોકો નાઈટ શિફ્ટ કર્યા પછી દિવસે બે ત્રણ કટકે ઊંઘ લે છે. એના કરતાં એક વખત માં જ સળંગ ૬ – ૭  કલાક એકસાથે ઊંઘ લઇ લેવી વધારે સારી.

સારાંશ:

નાઈટ શિફ્ટ ને કારણે થતું રાત્રી જાગરણથી શરીરમાં વાત દોષ વધે, અગ્નિ મંદ થાય અને લાંબા ગાળે ત્રિદોષ પ્રકોપ થઇ કેન્સર થી લઈને ડાયાબિટીસ જેવાં ગંભીર શારીરિક અને માનસિક રોગો થાય છે. આ માટે નિયમિત માલીશ કરવી, દિવસે જમ્યા પહેલાં જ પુરતી સળંગ ઊંઘ લઇ લેવી તેમ જ નિયમિત વ્યાયામ, યોગ અને પ્રાણાયામ કરવાં. વૈદ્યની સલાહ અનુસાર માત્રા બસ્તિ લેવાથી બધી જ સમસ્યા દૂર થાય છે.

Read More

Abhyanga : Real Method Of Doing Ayurvedic Massage as Described in Charak Samhita

ચરક મહારાજે બતાવી  શ્રેષ્ઠ માલીશ પદ્ધતિ જેમાં વિશ્વની દરેક મસાજ થેરાપી સમાઈ જાય છે

શરીર પર કોઈ પણ સ્નેહ એટલે કે તેલ અથવા ઘી ની માલીશ કરવાની પ્રક્રિયાને અભ્યંગ કહેવાય છે. માલીશ કરવાં માટેની અનેક પદ્ધતિઓ વિશ્વમાં પ્રચલિત છે જેવી કે થાઈ મસાજ, સ્વીડીશ મસાજ, ચાઇનીઝ મસાજ, એક્યુપ્રેશર મસાજ, કેરાલિયન ફૂટ મસાજ વગેરે. મસાજ ની આ પદ્ધતિઓ ખરેખર હજારો વર્ષો પૂર્વે આયુર્વેદનાં મહર્ષિ ચરકે કહેલી ત્રણ સ્ટેપની વિધિ નો વિસ્તાર માત્ર છે.

માલીશ કઈ રીતે કરવી તેની રીત ચરક મહર્ષિએ ખુબ જ સુંદર ઉદાહરણ દ્વારા સમજાવી છે.

તેમણે ત્રણ ઉદાહરણો દ્વારા માલીશ ની રીત સમજાવી છે:

 

1. સ્નેહ થી કુંભાર જેમ ઘડા ને લીપે તેમ (આખા શરીરે તેલ નો લેપ કરવો)

પહેલાનાં સમયમાં કુંભાર ઘડા પર તેલ નો લેપ કરતાં આથી ઘડા ખુબ જ ટકાઉ અને મજબુત બનતાં. તે જ રીતે પ્રથમ વ્યક્તિએ પુરા શરીર પર ગરમ નવસેકા તેલ નો લેપ કરવો. એટલે કે તેલ પુરા શરીર પર લગાડી દેવું. તેલ ક્રમશઃ ઉપર થી નીચે એટલે માથાથી પગ તરફ લેપ કરતાં હોઈએ તે રીતે લગાડતાં જવું.

 

2. ચમાર જેમ ચામડા ઉપર તેલને  ખુબ જ ઘસીને તેને તેલ પીવડાવે તેમ (મર્દન કરીને તેલ ને ઉંડે ઉતારવું)

ચામડાને મજબુત કરવાં માટે તેના પર ખુબ જ તેલ ઘસવામાં આવે છે. આથી ધીરે ધીરે તેમાં તેલ ઉતરતું જાય છે અને ચામડાની મજબુતી વધે છે. તે જ રીતે તેલ લેપન કર્યા પછી શરીર પર તેલ ખુબ ચોળવું એટલે કે ઘસીને મર્દન કરવાનું હોય છે. તેનાથી તેલ ચામડીના અંદર પહોંચી શરીરનાં અંદર પોતાની અસર બતાવે છે. કહેવાની આવશ્યકતા નથી કે મર્દન જેટલું સારું તેટલો વધુ લાભ.

 

3. વાહનોમાં પેડા ની ધારીમાં જેમ તેલ પુરાય તેમ (સાંધા, કાન, નાભિ સ્થાનો વગેરે માં તેલ પુરવું)

પૈડાની ધારીમાં જેમ તેલ પુરાવાથી તે મજબુત બને છે અને સરળતાથી વાહન દોડી શકે છે તે જ રીતે શરીરનાં પણ કેટલાક અંગો એવાં છે જેમાં તેલ પુરાવાની જરૂર પડે છે. દરેક સાંધામાં સારી રીતે તેલ લગાવવું જોઈએ. નાક, કાન, નાભિ આવા અંગોમાં તેલનાં ૩- 4 ટીપાં નાખવાથી શરીરરૂપી વાહન લાંબો સમય સુધી સારી રીતે દોડતું રહી શકે છે.

 

સારાંશ:

નવસેકા તેલ નું આખા શરીરમાં લેપન કરવું, ત્યાર બાદ ખુબ જ ઘસીને (મર્દન) તેલ ઉતરવું અને પછી કાન,નાક, નાભિ વગેરે અંગોમાં તેલ પુરવું (પુરણ). આમ લેપન, મર્દન અને પુરણ આ માલીશ નાં ત્રણ અગત્યનાં સ્ટેપ કરવાથી જ શરીર નાં બધાં અંગો સુધી માલીશ ની અસર પહોંચાડી શકાય છે.

Read More

How to increase vitamin D naturally by Ayurveda

विटामिन डी की कमी को दूर करने का सरल आयुर्वेदिक उपाय

What is Vitamin D and its Importance in Bone Health?

हमारी हड्डियों  में कैल्शियम की आपूर्ति  सही रूप से करने के लीए विटामिन डी अति आवश्यक है | हम जो आहार लेते है उसमें से कैल्शियम , फोस्फरस आदि मिनरल्स को आंत में से अवशोषण कर उसे हड्डियों तक पहोचाने के लीए विटामिन डी जरूरी है। जिस से हड्डियों की घनता (Bone Mineral Density) बनी रहती है।

Importance of Vitamin D in Health maintenance?

अनेक रोगो की रोकथाम और चिकित्सा के लीए भी विटामिन डी की महत्वपूर्ण भूमिका है। जैसे की डायबिटीस, हाय ब्लड प्रेशर , मल्टीपल स्केलेरोसिस , ह्रदय रोग, केन्सर ।

Vitamin D Deficiency :

अगर शरीरमें विटामिन डी की कमी होती है तो जोड़ों और मांसपेशीयों में दर्द, बालो का झड़ना, थकान, हड्डियों की कमजोरी , ओस्टीओपोरोसिस आदि लक्षण दिखाई देते है। साथ ही उस से वृद्धों में यादाश्त कम होना ,केन्सर आदि रोगों का खतरा रहता है।  यहाँ तक की इससे बच्चों में अस्थमा जैसी गंभीर बिमारी होने का भय बना रहता है।

How Ayurveda Helps in Vitamin D deficiency;

वर्तमान समय में विटामिन डी की कमी के किस्से बढ़ाते जा रहे है। लोगो को धूप में बैठने और सप्लीमेंट्स चालु रखने की सलाह दी जाती है। ये सब करने पर भी जब सप्प्लीमेंट्स बंध करते है तो थोड़े महीनों में इसकी फिर से कमी होना शुरू हो जाती है। कई बार तो रोगी भी टेबलेट्स लेते लेते परेशान हो जाते है।

यहाँ पर आयुर्वेद के मूलभूत सिद्धांत से चिकित्सा करने पर उत्तम परिणाम मील रहे है। आयुर्वेद में महर्षि वाग्भट्ट बताते है

“तत्र अस्थि स्थितो वायु:” —-  अष्टाङ्ग हृदय सू . 11/ 26

अर्थात अस्थि धातु याने हड्डियों की कमजोरी तभी होगी जब उसमें वात दोष बढ़ेगा। और उसको दूर करने के लीए तिक्त घृत का प्रयोग करना चाहिए।

हमने यही तिक्त घृत को पुरी शास्त्रीय विधि से देशी गाय के घी का उपयोग करके बनाया।साथ ही यह तिक्त घृत देने से पहले रुग्णों की जठराग्नि और मेद धात्वाग्नि को ठीक किया। क्युँकि जब तक अग्नि ठीक नहीं होता तब तक घृत का पाचन नहीं होगा और हमें निश्चित लाभ नहीं मिलेगा। इसके २ महीने लगातार प्रयोग से विटामिन डी की कमी स्थायी रूप से दूर हुई।

Read More

Suffering from Skin Problem; Follow these simple Ayurveda tips during this spring

ચામડી ના રોગો માટે અપનાવો એટલા સરળ આયુર્વેદિક ઉપાયો

ચામડીનાં રોગીની વાસંતિક ચર્યા જોઈએ તો તેમાં અલૂણાનું ખાસ મહત્વ છે. તેથી ચૈત્ર મહિનામાં નમક લેવાનો અને લીમડાનાં કૂમળા ફૂલ અને પાન તેમજ છાલનો ઉકાળો પીવાનો રિવાજ છે. રીતે ચામડીનાં દર્દીએ વસંત શરૂ થતાં ખોરાકમાં નમક લેવું. સાથે નહાવા માટે કેસુડાંનાં ફૂલ અને લીમડાનાં પાનથી ઉકાળેલા પાણીનો ઉપયોગ કરવો. લીંબોડીનાં તેલથી શરીરે માલીશ કરવી પરંતુ જો ચામડીમાંથી પચપચા પાણી જેવો સ્ત્રાવ થતો હોય તો તેને સૂકી રાખવી અને જો વધુ સૂકી થઈને પોપડીઓ ખરતી હોય તો તેલ માલીશ કરવી.

લીમડાનાં કૂમળા પાનનો રસ પી ઊલટી કરવી. હરડે, નસોતર, કડું, કરિયાતુ વગેરેનો વૈદ્ય સલાહ અનુસાર એવો અને એટલા પ્રમાણમાં પ્રયોગ કરવો કે સવારમાં વખત સારી રીતે પેટ સાફ થાય. નાગરમોથ, ધાણા વગેરેથી ઉપર બતાવેલી રીતે સિદ્ધ જલનો પ્રયોગ કરવો. ચામડીનાં રોગીઓમાં માનસિક ચિંતા અને વ્યગ્રતા, ભય વગેરેનું પ્રમાણ પણ જોવા મળે છે. જેનાથી રોગ વધી જાય છે. આથી મનને પ્રફુલ્લિત રાખવું અને ઊંડા શ્વાસપ્રશ્વાસની ક્રિયા (ડીપ બ્રિધિંગ એન્ડ બ્રિથ વોચિંગ) વગેરે ઉપાયો કરી મનને વ્યગ્રતાની લાગણીઓ અને આવેશથી મુક્ત રાખવું.

આમ ઉપરની ઋતુચર્યા માત્ર કફ વધવાથી થતાં ચામડીનાં રોગીઓ જો અનૂસરે તો તેમનાં શરીરમાં કફનું સમપ્રમાણ થાય છે અને આખું વર્ષ સ્વસ્થ રીતે પસાર થાય છે પરંતુ ઉપરનું અનુસરણ કરતાં પહેલા રોગની અને રોગીની પ્રકૃતિ અને બળ ખાસ જાણી લેવાં અને તે મુજબ ઘટતાં ફેરફાર કરવા જોઈએ.

Read More

Suffering from Asthma: Follow these simple Ayurveda tips during this spring

શ્વાસ ના રોગ ને કાબૂ માં લેવા અપનાવો આ સરળ આયુર્વેદિક ઉપાય

શ્વાસનાં રોગીએ ઋતુમાં જો એક ખાસ પ્રકારનાં આહારવિહારનું પાલન કરે તો તેમનાં રોગ માટે જવાબદાર કફદોષનું પ્રમાણ શરીરમાંથી ઘટે છે. તેમને આહારમાં માત્ર મગનું શાક કે દાળ અને ઓસવેલા ગરમ તાજા ભાત, શેકેલા ઘઉંની થુલી, ચોખાની કણકી, આદુ, સરગવો, લસણ, અજમો, તુલસી વગેરેનું સેવન કરવું. સાથે ઠંડું, વાસી, ઝીણાં લોટની બનાવટ (રોટલી, ખાખરા, પરોઠા), દૂધ, દૂધની મીઠાઈ, દહીં, કેળા, મેંદો, તલ, અડદ, આથાવાળા વગેરે પદાર્થો લેવાં.

સવારમાં વહેલા હળવો વ્યાયામ, ચાલવું, વધુ શ્રમ પડે તેવાં અનુલોમવિલોમ જેવા સરળ પ્રાણાયમ વગેરે કરવા. એમાંથી પણ શ્વાસનાં રોગીએ ખાસ વસંત શરૂ થતાં છાતીમાં જામેલો કફ છૂટો પાડવા તલનાં તેલમાં સૈધવનમક નાખીને ગરમ કરી છાતી અને પડખામાં માલીશ કરવી તેમજ તેની ઉપર હ્યદય સિવાયનાં ભાગમાં સેક કરવો. ક્રિયા સરળ છતાં એટલી અસરકારક છે કે તેનાથી સ્વાસ માટે લેવામાં આવતાં પંપ પણ ધીમે ધીમે ઓછા થાય છે.

ઋતુમાં અઠવાડિયામાં એકવાર નમકનાં ગરમ પાણીથી ઉલટી કરવાથી વધારાનો કફ બહાર નીકળે છે. ઉપરાંત દરરોજ નાકમાં તલનાં તેલને ગરમ કરી નવસેકા ટીપાં નાખવા. શ્વાસનાં રોગી જો રાતનું ભોજન લે અને માત્ર સવારે અને બપોરે ઉપર સૂચવેલો આહાર લે તો તેને રાત્રે આવતાં હુમલાથી રક્ષણ મળે છે.

સુંઠ એક ભાગ અને પાણી સોળ ભાગ લઈ ઉકાળીને અડધો ભાગ પાણી બાળી આખો દિવસ સિદ્ધ જલ નો પ્રયોગ કરવો. ધૂળ, ધૂમાડા, રજકણો, ઠંડીથી સતત બચવું. સવારે અને સાંજે ભૂખ્યા અને હળવું પેટ હોય ત્યારે હળવી કસરત, ચાલવું અને હળવી શ્વાસોચ્છવાસની કસરત, અનુલોમવિલોમ પ્રાણાયમ કરવા. કબજીયાત થવા દેવી અને જેમને કાયમ કબજીયાત અને પેટમાં વાયુની ફરિયાદ રહેતી હોય તેમને હરડે, સુંઠ, હિંગ, કડુ વગેરેનો વૈધની સલાહ મુજબ પ્રયોગ કરવો કેમકે શ્વાસનો રોગ પાચનની નબળાઈ, ગેસ અને કબજીયાતથી વધી જાય છે.

Read More

શું આપ ઋતુ બદલે ત્યારે બીમાર પડી જાઓ છો? અપનાવો આ સરળ જીવન શૈલી

શું આપ ઋતુ બદલે ત્યારે બીમાર પડી જાઓ છો? અપનાવો આ સરળ જીવન શૈલી

ભારતમાં વર્ષ દરમિયાન અનુભવાતી પ્રત્યેક ઋતુમાં સૂર્યપ્રકાશ, ઠંડી, ગરમી, હવા, ભેજ, દિવસ-રાતની લંબાઈ વગેરેનું પ્રમાણ જુદું જુદું જોવા મળે છે. આ પ્રમાણે પ્રત્યેક ઋતુની અલગ-અલગ અસર માનવશરીર પર પડે છે. હવે જો પ્રત્યેક ઋતુમાં આપણું વર્તન એવું હોય કે જે શરીરમાં થતાં આ ઋતુજન્ય પરિવર્તન દરમિયાન તેને બહારનાં વાતાવરણ સાથે પોતાનું સામંજસ્ય સ્થાપિત કરવામાં મદદરૂપ થાય તો ઋતુજન્ય ફેરફારોથી સ્વાસ્થ્યની રક્ષા કરી શકાય. આયુર્વેદનાં મહર્ષિઓએ પ્રકૃતિના પરિવર્તનો તથા તેની શરીર પર થતી અસરનાં અત્યંત સૂક્ષ્મ અભ્યાસ દ્વારા એક સંપૂર્ણ વૈજ્ઞાનિક વ્યવહારશૈલીનું નિર્માણ કર્યું જેને ઋતુચર્યા કહેવાય છે.

આમ ઋતુચર્યા એટલે ઋતુપરિવર્તન અનુસાર દૈનિક વ્યવહાર, ખાન પણ વગેરેમાં આગવું સ્વસ્થ્યદાયક પરિવર્તન. ઉપરાંત પ્રત્યેક ઋતુ અનુસાર શરીરનાં વાયુ, પિત્ત અને કફ દોષોનાં પ્રમાણમાં વધ-ઘટ થાય છે અને તેને લીધે અમુક ઋતુમાં અમુક રોગો વધેલા કે ઘટેલા જોવા મળે છે. જેમ કે શિયાળામાં લોકો દ્વારા વધુ પ્રમાણમાં પૌષ્ટિક અને ચીકણા, ભારે ખાદ્યપદાર્થો જેવા કે અડદીયા, શેરડી, ગોળ, તલ વિવિધ પાક વગેરેનું સેવન થતાં તેમનાં શરીરમાં કફદોષનું પ્રમાણે વધે છે. આથી આ ઋતુ અને તેનાં પછી આવતી વસંતઋતુમાં કફને કારણે થતાં શ્વાસ અને ચામડીનાં રોગો વધુ પ્રમાણમાં જોવા મળે છે.

વસંત પંચમી નાં તહેવાર સમયે વસંત ઋતુ ની શરુઆત થાય છે. તેની સવાર શિયાળાની ગુલાબી ઠંડી જેવી અને બપોર ઉનાળાનાં આકરા તાપ જેવી હોય છે. આ ઋતુસંધિ એટલે કે શિયાળા અને ઉનાળાને જોડતી વસંત ઠંડી અને ગરમીનું એવું મિશ્રણ સર્જે છે કે તેનાથી શરીરમાં શિયાળા દરમિયાન જમા થયેલો કફ દ્રવીભૂત થઈ પીગળે છે. સાથે સાથે ઠંડી પણ હોવાથી આ કફ પૂરે પૂરો શોષાઈ જતો નથી પણ પોતાના દ્રવ સ્વરૂપથી આખાય શરીરમાં જુદા જુદા રોગો કરે છે.

આમ વસંતએ કફદોષનાં દ્રવત્વગુણને લીધે શરીરમાં પાચનશક્તિ નબળી બનાવી એટલે કે અગ્નિ મંદ કરે છે તેથી મરડો, ભૂખ ન લાગવી, ગળા અને છાતીમાં કફ ભરેલો લાગવો, આળસ, શ્વાસ, શરદી, શીળસ, ચામડીની એલર્જી, માથું ભારે થવું વગેરે કફને લગતાં લક્ષણો જોવા મળે છે. પરંતુ સાથે સાથે આ ઋતુનું જમા પાસું એ છે કે જો તેમાં આયુર્વેદીય સરળ ઉપાયોનો આશરો લઇ દ્રવીભૂત કફને કાઢી નાખવામાં આવે તો આવનાર આખા વર્ષમાં કફનાં રોગોમાં રાહત રહે છે. ખાસ કરીને ચામડી અને શ્વાસનાં દર્દીઓ જો થોડી સાવચેતીથી આયુર્વેદીય વસંતઋતુચર્યા પાળે તો તેમનાં માટે આવનારો શિયાળો હર વખતની જેમ ભયાવહ રહેતો નથી.

આયુર્વેદ મત પ્રમાણે આ ઋતુમાં દ્રવીભૂત કફને બહાર કાઢવા માટે વમન કર્મ, નસ્યકર્મ કરાવવામાં આવે છે; જે માત્ર અનુભવી વૈધની સંપૂર્ણ દેખરેખ નીચે જ કરવા જોઈએ. પરંતુ આ માટે કેટલાક સરળ ઉપાયો પણ આપેલા છે જે દરેક વ્યક્તિ વૈધની સલાહ મુજબ અને પોતાની તાસિર મુજબ ઘરમેળે કરી શકે છે. આ ઋતુમાં દરેકે સરસીયા તેલની માલીશ કરી સવારે ખૂબ જ વ્યાયામ કરવો, બપોરે સૂવું નહીં, ખોરાકમાં લૂખા, હલકા અને સામાન્ય ગરમ દ્રવ્યો લેવા. માત્ર ગરમ પાણી અથવા સૂંઠ, નાગરમોથ, ગંઠોળા વગેરે તાસિર મુજબ યોગ્ય પ્રમાણમાં નાખી ગરમ કરીને પીવું. નાહવામાં કેસૂડાંનાં ફૂલ નાખી ગરમ કરેલું પાણી વાપરવું.

આથી જ હોળી માં મકાઈની ધાણી, બાફેલા કઠોળ જેવા લુખ્ખા પદાર્થો ખાવાનો અને ગાયનાં અડાયા છાણાથી બનેલી હોળીને ફરતે રહી શેક લેવાનો રિવાજ છે. તેનાથી કફ દોષનું શરીરમાં પ્રમાણ ઘટે છે. ઉપરાંત કેસૂડાંના ફૂલવાળા પાણીથી રમાતી હોળી ચામડીને સુંવાળી બનાવી કફને લીધે થતી એલર્જીથી રક્ષણ આપે છે. આમ તહેવાર સાથે પણ સ્વાસ્થ્ય સંરક્ષણને જોડવામાં આવ્યું છે.

Read More